સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી ---------------------- *(૧૧૯) ગોપીગીત* ------------- દિવસના અંત સમયે પણ રાત્રિના પ્રારંભ પહેલાં આકાશનો રંગ પણ જરા ઘેરો લાગે છે, અસ્ત પામતા સૂર્યની આછા લાલ રંગની છાયા આકાશને સૌંદર્ય અર્પે છે, ત્યારે ગાયોનાં ટોળાં વળતાં એમની ખરીઓથી ઊડેલી ધૂળની રજના ગોટા આકાશને જાણે વાદળાંથી મઢી દેવા માગતા હોય એવું લાગે છે. રજથી ઢંકાયેલું, આછા લાલ રંગે રંગાયેલું, આકાશ જાણે મેઘરાજાની સવારીનાં વધામણાં આપતું હોય તેમ, રજરૂપ વાદળાંની દોડાદોડથી મોરલા પણ નાચી ઉઠે છે. મયૂર- નૃત્ય જોઈને, મેઘના આગમનને વધાવવા- નીરખવા વ્રજવાસીઓ ટોળે મળે છે, ત્યારે એક ગોપી ટીખળ કરે છે- અરે, આ તો મેઘરાજ નહિ પરંતુ વ્રજરાજ નંદકિશોર પધારે છે ગાયો ચરાવીને અને એ સાંભળી સૌ ખસિયાણાં પડી જાય છે. સુંદિર શ્યામના સ્વરૂપને મેઘરાજ સાથે સરખાવવા માગતી ગોપીઓ *દિનપરિક્ષયે* કહીને શ્યામના સ્વરૂપ- માધુર્યનો મહિમા ગાતાં કહે છે- *નીલકુન્તલૈર્વનરુહાનનં*- શ્યામસુંદર! તમારા મ...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....