Skip to main content

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી
    ---------------------
    *(૧૧૮) ગોપીગીત*
       ----------------
   સાધકને માટે ધ્યાનની બે કક્ષા હોય છે. (૧) દોષાપનયનધ્યાન (૨) ગુણ ધ્યાન. 
   (૧) ધ્યાનની પ્રથમાવસ્થામાં તનના, મનના, હૃદયના મલ- દોષ દૂર કરવા માટે ભગવાનના દોષનિવારક સ્વરૂપનું વર્ણન કરતાં એ સ્વરૂપમાં લીન થવું એ છે દોષાપનયનધ્યાન. 
  (૨) ભગવાનના ઐશ્વર્યરૂપ ગુણોનો નિષ્કામ ભાવે મહિમા ગાતાં ગાતાં એ ગુણસાગર પરમાત્માના આનંદ સ્વરૂપમાં પ્રેમભાવે લીન થવું એ છે ગુણધ્યાન. 
   દોષાપનયન ધ્યાનથી ચિત્તમાંથી રાગ- દ્વેષ, ક્રોધ, આવેશ, પ્રમાદ, આળશ, કામ વગેરે દોષ દૂર થાય છે અને એને સ્થાને :-
   ગુણધ્યાન દ્વારા શમ, દમ, ઉપરતિ, સત્ય, સંતોષ વગેરે ગુણો પ્રતિષ્ઠા પામે છે. 
    દોષ દૂર કરવાનું કામ ભગવાનનું છે. તેમ તેને સાથે સદ્ ગુણોની પ્રતિષ્ઠા કરી હૃદયને શણગારવાનું કાર્ય પણ એ જ ભગવાન કરે છે. 
   અને આ રીતે પ્રભુકૃપાએ ચિત્ત સુશોભિત બને ત્યારે એમાં પરમાત્મ- સ્વરૂપનો અનુભવ થાય છે. 
   પરંતુ વ્રજવધુઓએ પ્રતિષ્ઠિત કરેલા પ્રેમ માર્ગમાં માત્ર ચિત્તમાં પરમાત્મ- સ્વરૂપના સાક્ષાત્કારથી તૃપ્તિ નથી થતી. ગોપીઓને બાહ્ય જીવનમાં શ્યામસુંદરનું સાન્નિધ્ય પણ જોઈએ છે. કારણ કે-
   ભોજનથી તૃપ્ત થયા પછી જેમ તૃપ્તિનો ઓડકાર આવ્યા પછી ભોજનનો અભાવ થાય છે તેમ પ્રેમમાં તૃપ્તિ આવી ગયા પછી શું? 
    પ્રેમ માર્ગમાં એક પ્રસંગની તૃપ્તિ તો બીજા પ્રસંગની તૃષા તુરત જ હોય છે. એમાં તૃષા અને તૃપ્તિ એકબીજાની પાછળ પાછળ ચાલ્યા કરે છે અને માટે જ પ્રેમ માર્ગમાં આનંદની અખંડ ધારા વહ્યા કરે છે. 
    *તવ કા મૃતં તપ્સજીવનં અને પ્રણતદેહિનાં પાપકર્શનં* વગેરે દ્વારા ભગવાનના દોષાપનયન સ્વરૂપનું વર્ણન અને ધ્યાન ધર્યા પછી હવે એ ગુણસાગરના ગુણસ્વરૂપનો મહિમા ગાવા માટેની પૂર્વભૂમિકા જાણે રચતી હોય તેમ ગોપીઓ કહે છે -
   *દિન પરિક્ષયે* - દિવસનો ક્ષય થાય ત્યારે વનમાં ગાયો ચરાવીને, શ્રીકૃષ્ણના વ્રજમાં પાછા ફરવાના સમયનો ગોપીઓ નિર્દેશ કરે છે. 
   *દીનક્ષયે*- દિવસમાં અંત સમયે કહે છે, પરંતુ રાત્રીના પ્રારંભની વાત ગોપીઓ કરતી નથી. 
        વધુ આવતી કાલે
          
             *જય જય શ્રીગોકુલેશ*

Comments

Popular posts from this blog

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે...   બહુચર-

SBI ATM Card Application Form - State Bank of India

How to Convert Numbers to Words in Excel

How to Convert Numbers to Words in Excel format Cell _(#,##0.00_);[Red](#,##0.00) = CHOOSE(LEFT(TEXT(B3,"000000000000.00"))+1,,"One ","Two ","Three ","Four ","Five ","Six ","Seven ","Eight ","Nine ")&IF(--LEFT(TEXT(B3,"000000000000.00"))=0, ,IF(AND(--MID(TEXT(B3,"000000000000.00"),2,1)=0,--MID(TEXT(B3,"000000000000.00"),3,1)=0),"Hundred ","Hundred and "))&CHOOSE(MID(TEXT(B3,"000000000000.00"),2,1)+1,,,"Twenty ","Thirty ","Forty ","Fifty ","Sixty ","Seventy ","Eighty ","Ninety ")&IF(--MID(TEXT(B3,"000000000000.00"),2,1)<>1,CHOOSE(MID(TEXT(B3,"000000000000.00"),3,1)+1,,"One ","Two ","Three ","Four ","Five ","Six ","Seven ","Eight ",&quo