Skip to main content

શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજીએ!

🌕🌕🌕
શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજીએ!

જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ.

કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે.

*વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસે-રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રના કિરણો આ દિવસે એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે*


 આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખડી સાકરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખડી સાકર એક આયુર્વેદ મહાપ્રસાદ બની જાય છે

*આજે મૂળ વાત કરવી છે  ખડીસાકરની!*

*શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોવાથી આ ચંદ્રના કિરણો આ ખડી સાકરમાં પ્રવેશે છે.  શરદપૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે*

 *ખડી સાકરની અંદર ચંદ્રની આવી નેચરલ અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ*

એટલે વર્ષોથી આપણે કોઈને આશીર્વાદ "શતમ જીવ શરદ:" તેવું બોલીએ છીએ કે 100વર્ષની શરદપૂર્ણિમા સુધી નિરોગી જીવન જીવતા રહો

*Kalpavruuksha Organic થી 100% Chemical free  5 કિલો જેટલી Organic ખડીસાકર ખરીદીને લાવવાની શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ , 20 મી ઓક્ટોબર,  2021 બુધવાર ની રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખવાનું આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે*

 સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની

*જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે*

 આવા સમયે આ ખડીસાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડીસાકર લેવાય તો એ દવાની અસર કરતાં વધુ સારી થશે.

 *થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવો શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ*

આવી રહેલા નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં પેંડા, કાજુકતરી, બરફી કે મીઠાઈથી મીઠું કરાવવાને બદલે આવી ખડીસાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે આપ ઈચ્છો તો આવી સાકરનાં 100 થી 200 ગ્રામનાં પેકેટ આપના સ્વજનોને ભેટમાં આપીને નિરોગી રાખવા પ્રયત્ન કરજો

*આપણુ લિવર પાચન માટે પિત (bile) બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે*

 આ બધું પાચનનું 4 થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે
જે આપણા શરીરને નિરોગી રાખવાનું અતિ મહત્વનું કામ કરે છે

 *શરદપૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં મુકેલી આ ખડીસાકર આપ સૌના મનને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે*

20 મી ઓક્ટોબરે શરદપૂનમ છે હજુ આપની પાસે પૂરતો સમય છે  તો Kalpavruuksha Organic થી 5-10 કિલો  100% Chemical free ખડી સાકર ખરીદીને લાવો અને અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ જરૂર લેજો

*કામ વગરની ખોટી ગિફ્ટ આપવી એના કરતાં જીવનમાં કંઈક કામમાં આવે તેવું આપજો મોલમાંથી કે ક્યાંયથી પણ તમે કામ વગરની ગિફ્ટ કે રેડીમેઈડ મીઠાઈના પેકેટ કોઈને પણ આપ્યા એટલે સમજો આપ રૂપિયા ખર્ચીને બીજાને બીમારી આવે તેવું આપી રહ્યા છો*

*આવો કુદરતના ખોળે જીવવા પ્રયત્ન કરશો તો બીમારીઓ આપના ઘરની બારીમાં ડોકિયું કરવા પણ નહીં આવે*

*KALPAVRUUKSHA*
A Store For Organic And Natural Products
55, Khatodara G.I.D.C., 1st Floor, Behind Sub Jail, Ring Road, Surat-395002
📞 9427111910
📞 9054811199

Comments

Popular posts from this blog

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે...   બહુચર-

SBI ATM Card Application Form - State Bank of India

How to Convert Numbers to Words in Excel

How to Convert Numbers to Words in Excel format Cell _(#,##0.00_);[Red](#,##0.00) = CHOOSE(LEFT(TEXT(B3,"000000000000.00"))+1,,"One ","Two ","Three ","Four ","Five ","Six ","Seven ","Eight ","Nine ")&IF(--LEFT(TEXT(B3,"000000000000.00"))=0, ,IF(AND(--MID(TEXT(B3,"000000000000.00"),2,1)=0,--MID(TEXT(B3,"000000000000.00"),3,1)=0),"Hundred ","Hundred and "))&CHOOSE(MID(TEXT(B3,"000000000000.00"),2,1)+1,,,"Twenty ","Thirty ","Forty ","Fifty ","Sixty ","Seventy ","Eighty ","Ninety ")&IF(--MID(TEXT(B3,"000000000000.00"),2,1)<>1,CHOOSE(MID(TEXT(B3,"000000000000.00"),3,1)+1,,"One ","Two ","Three ","Four ","Five ","Six ","Seven ","Eight ",&quo