Skip to main content

આયુર્વેદનો ખજાનો ( Ayurveda treasure )


આયુર્વેદનો ખજાનો

Glow In The Special Turmeric Paste Of Turmeric Will Forget The Scenes

Picture


હળદરનો આયુર્વેદિક ઉપયોગ,ફેસિયલને પણ ભુલી જશો..................

હળદર મસાલા સાથે એક આયુર્વેદિક ઔષધી પણ છે.તેની અંદર અનેર અનમોલ ઔષધીય ગુણ છુપાયેલા છે.હળદરના આ ગુણોને કારણે તેનો પ્રયોગ અનેક બીમારીઓનો ઈલાજ પણ કરે છે.ભારતમાં સદીઓથી હળદરનો પ્રયોગ ઔષધીના અને મસાલાના રૂપમાં કરવામાં આવે છે.વર હોય કે વધુ બંને માટે રંગ નિખારવા માટે હળદરનુ મિશ્રણ લગાવવાની પરંપરા છે.માનવામાં આવે છે કે હળદરનુ ઉબટન લગાવવાથી ન માત્ર રંગ નિખારે છે પણ ત્વચાને નિરોગી બનાવે છે.


આચાર્ય સુશ્રુતે હળદરને શ્વાસના રોગ,ખાંસી અને આંખોની બીમારી દુર કરવામાં કારગર માનવામાં આવે છે.આ ઉપરાંત પાચન,કુષ્ટ અને ડાયાબિટીસ જેવા રોગમાં પ્રભાવકારી અને સૌર્દંય માટે પણ લાભકારી છે.આ જ કરાણે જુના સમયમાં વર વધુના રૂપના સૌદર્ય માટે હળદરનુ ઉબટન લગાવવામાં આવે છે.જેને આપણે પીઠી કહીએ છીએ.

આગળ જાણો હળદરના પ્રાચીન ઉપયોગ વિશે...

હળદરને થોડી માત્રામાં લઈ તેમાં માખણ સારી રીતે મિકસ કરો.આ તૈયાર કરેલા મિશ્રણને ત્વચા પર સારી રીતે લગાવી દો.અડધો કલાક બાદ સ્નાન કરી લો.થોડા દિવસનો આ પ્રયોગ ત્વચા ચમકાવવા લાગશે અને તમારુ રૂપ કલપના બહાર નિખરશે.જે તમને ફેસિયલ જેવો ગ્લો આપશે.

                                                                                                                                                                     -Jagdish Manilal Rajpara

Try this - આટલુ અજમાવી જુઓ

Picture

કંટ્રોલ રહેશે વજનબધા પ્રકારના ખાટા ફળો જેવા કે મોસંબી, સંતરા અને લીંબૂ વગેરેનુ સેવન કરવુ જોઈએ. તેનાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે 
ચહેરા પર ગ્લો માટે બેસન અને હળદરમાં સરસિયાનું તેલ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટને ચહેરા પર લગાવીને ઘસો. તમારો ચેહરો એક મહિનામાં જ ગ્લો કરતો જોવા મળશે. 
ગઠિયાના રોગમાં કારગર ઉપાયઓછા ફેટવાળા ડેયરી પ્રોડ્ક્ટ્સ જેવા કે દૂધ, દહીનુ સેવન કરવાથી યૂરિક એસિડ ઓછુ થાય છે જે ગઠિયાના રોગીઓ 
માસિક ધર્મની પીડા ઓછી કરવા માટે દહીંમાં કાકડી છીણીને તેમા ફુદીના, સંચળ, કાળા મરી અને જીરા પાવડર નાખો. આનુ સેવન કરવાથી માસિક ધર્મની પીડા ઓછી થશે 
કરચલીઓથી બચવા માટે - ઈંડાના સફેદ ભાગને નિયમિત રૂપે ચેહરા પર લગાવો અને સૂકાયા પછી ચેહરાને ધોઈ લો. આનાથી ત્વચા ટાઈટ પણ થશે. 

લાભકારી તરબૂચ - તરબૂચ ફ્લોરિક એસિડનુ સારુ સ્ત્રોત છે. જે વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. તેથી તરબૂચ પુષ્કળ પ્રમાણમાં ખાવુ જોઈએ.અપનાવો નેચરલ ઉપા- સફેદવાળ દેખાય નહી એ માટે ઘણા લોકો હેયરડાયનો ઉપયોગ કરે છે તેના બદલે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ. 

એનિમિયાનો અક્સીર ઈલાજ - મૂળીનો રસ અને દાડમનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને એનિમિકે સેવન કરવુ જોઈએ. આનાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે. 

ચહેરો ક્લીન કરવા માટે - લીંબુ નેચરલ બ્લીચ છે. તેનો રસ ચેહરા અને ગરદન પર લગાડવાથી કાળાપણું દૂર થાય છે. તમે આમા ચાહો તો મધ પણ મિક્સ કરી શકો છો. 

શુગર કંટ્રોલ કરવા માટે - કાકડી(ખીરા)નું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબિટિકે આનુ સેવન વિશેષ રૂપે કરવુ જોઈએ. 

બ્લેક હેડ્સ સાફ્ કરવા માટે - બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેને નાક અને દાઢી પર ઘસો. ત્યારબાદ ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. બ્લેકહેડ્સ દૂર થઈ જશે.

ખરતા વાળને રોકવા માટે આ ટિપ્સ અપનાવો

Picture
    આધુનિક ભાગદોડની લાઈફમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગની મહિલાઓ જ નહી પણ પુરૂષો પણ હવે અસરગ્રસ્ત બન્યા છે. વાળ ખરવાની બાબતથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા તરીકે ઉભરીને બહાર આવી છે. સવારમાં નહાવા ગયા બાદ જ્યારે પુરૂષો અને મહિલાઓ બહાર નીકળે છે ત્યારે ઘણી સંખ્યામાં વાળ ખરી પડેલા જોવા મળે છે. ત્યારે તેમને ખૂબ દુ:ખ થાય છે. વાળ ખરી જવા માટે જુદા જુદા કારણો જવાબદાર છે. અત્યંત ભાગદોડ ભરી લાઈફમાં આની કાળજી લેવામાં સફળતા મળતી નથી. અન હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ ટેવ વાળ ખરવા માટે કારણભૂત છે.

વાળ ખરવાની સમસ્યા માટે કયા કયા પરિબળો જવાબદાર છે તેને લઈને કરવામાં આવેલ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા જાણવા મળ્યુ છે કે જંકફૂડ પણ વાળ ખરવામાં ભૂમિકા ભજવે છે. હેલ્ધી હેર તરફ આગળ વધવાનું પ્રથમ પગલુ હેલ્થી ડાયટ છે. સાથે સાથે નિયમિત કસરત છે. ઘઉં, મકાઈ, ચોખા જેવી પ્રોટીન ધરાવતી ચીજવસ્તુઓને નિયમિત રીતે ભોજનમાં આવરી લેવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત વટાણામાં પ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કીન હેલ્ધી રહે છે. સાથે સાથે વાળની જડને અનહેલ્ધી.

ગરમ તેલના મસાજથી પણ વાળને મજબૂત બનાવવામાં મદદ મળે છે. માથમાં એકથી બે કલાક સુધી તેલને રાખી મુકવાની બાબત ઉપયોગી બને છે. કારણ કે આનાથી વાળની જડ મજબૂત બને છે. સાથે સાથે વાળને જરૂરી પોષણ તત્વો પણ મળે છે.

નાળિયેલ, આંબળા, નીમ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રીજા પરિબળમાં ટેન્શનને દૂર રાખવાની બાબત પણ જોડાયેલી રહેલી છે. મેડીટેશન, યોગા અને નિયમિત કસરત પણ ઉપયોગી બનેલી છે. નિયમિત રીતે હેરફેર ખૂબ ઉપયોગી સાધન તરીકે છે. હેલ્ધી લાઈફ સ્ટાઈલને જાળવી રાખવમાં આવે તે અતિ જરૂરી છે. નિષ્ણાતોનુ કહેવુ છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ એકંદરે ફીટ રાખે છે. જેથી પૂરતા પ્રમાણમાં ઊંઘ અને ભાગદોડની લાઈફને ઘટાડવી જોઈએ. અપૂરતી ઊંઘ વાળ ખરવામાં પરિબળ સમાન છે. ઉપરાંત ધૂમ્રપાન અને શરાબ પણ હેરલોસની સમસ્યા વધારે છે


હેલ્થ કેર : કાચી ડુંગળી ખાવાના ફાયદા

Picture
ભોજન સાથે સલાડના રૂપમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે જે શરીરના બધા રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેંડવિચ, સલાડ કે પછી ભેલ વગેરેમાં ઉપરથી નાખીને ખાઈ શકાય છે. જો તમને ડર છે કે આ ખાવાથી મોઢામાં વાસ આવશે તો તમે બ્રશ કરી લો. આવો જાણીએ કાચી ડુંગળી ખાવાના સ્વાસ્થ્યવર્ધક લાભ. 

કબજિયાત દૂર કરેઆમાં રહેલા રેશા પેટની અંદર ચોંટેલા ભોજનને બહાર કાઢે છે. જેનાથી પેટ સાફ થઈ જાય છે. તો જો તમને કબજિયાત રહેતી હોય તો કાચી ડુંગળી ખાવી શરૂ કરી દો. 

ગળામાંથી કફ દૂર કરે જો તમે શરદી, કફ કે ગળામાં ખારાશથી પીડિત છો તો તમે તાજી ડુંગળીનો રસ પીવો. તેમા ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો. 

બ્લીડિંગની સમસ્યા દૂર કરે - નાકમાંથી લોહી વહી રહ્યુ છે તો કાચી ડુંગળી કાપીને સૂંઘી લો. આ ઉપરાંત જો પાઈલ્સની સમ્સ્યા હોય તો સફેદ ડુંગળી ખાવી શરૂ કરી દો. 

ડાયાબિટિશ કરે કંટ્રોલ જો ડુંગળીને કાચી ખાવામાં આવે તો તે શરીરમાં ઈંસુલિન ઉત્પન્ન કરશે. જો તમે ડાયાબિટિક છો તો તેને સલાડના રૂપમાં ખાવી શરૂ કરો. 

દિલની સુરક્ષા - કાચી ડુંગળી હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે અને બંધ લોહીની ધમનીઓ ને ખોલે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરેઆમા મિથાઈલ સલ્ફાઈડ અને અમીનો એ સિડ હોય છે, જે ખરાબ કેલોસ્ટ્રોલને ઘટાડીને સારુ કોલેસ્ટ્રોલ વધારે છે. 

કેંસર સેલની ગ્રોથ રોકેડુંગળીમાં સલ્ફર તત્વ વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસા અને પોસ્ટેટ કેંસ્રરથી બચાવે છે. સાથે જ આ મૂત્ર પથ સંક્રમણની સમસ્યાને ખતમ કરે છે. 

એનીમિયા ઠીક કડુંગળીને કાપતી વખતે આંખોમાંથી આંસુ ટપકે છે. આવુ ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે થાય છે. જ નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સલ્ફરમાં એક તેલ રહેલુ હોય છે જે એનીમિયાને ઠાક કરવામાં મદદરૂપ હોય છે. ખોરાક બનાવતી વખતે આ સલ્ફર બળી જાય છે, તેથી કાચી ડુંગળી ખાવી જોઈએ.
સંબંધિત જાણકારી

કબજિયાત(એસીડીટી) દૂર કરવાના ઉપાય

Picture
કબજીયાતની સમસ્યા નાના-મોટાને થવી એ એક સામાન્ય બાબત છે. શરીરમાં પાણીની કમી, ભોજનમાં પોષણની કમી, વ્યાયામ ન કરવો અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે દરેક વ્યક્તિ કબજીયાતથી પીડિત થઈગયો છે. તમે કબજીયાતથી છુટકારો મેળવી શકો છો, જો તમે પુષ્કળ પાણી પીવો અને તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરો. અહી આપેલી ટિપ્સ અપનાવો અને કબજીયાતથી છુટકારો મેળવો 

1. રેસાવાળો ખોરાક બીંસ, કોબીજ, બ્રોકલી, ટામેટા, ગાજર, પાંદળાવાળા શાક, ડુંગળી વગેરે ખાવા જોઈએ. રેશાયુક્ત ખોરાક સહેલાઈથી પચી જાય છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. ફ્રૂટ્સમાં તમારે કેળા, તરબૂચ, લીંબુ, કેરી, સફરજન અને મોસંબી વગેરે ખાવા જોઈએ. 

2. મીઠાઈ ઓછી ખાવમીઠાઈમાં ખાંડનું પમાણ વધુ હોય છે. જેનાથી તે સારી રીતે શરીરમાં ઓગળતી નથી અને હજમ નથી થતી. જો તમને કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો તમારે મીઠાઈનું સેવન ઓછુ કરવુ પડશે. 

3. તરલ પદાર્થો વધુ ખાવ શરીરમાં તરલ પદાર્થની કમીને કારણે પણ કબજીયાત થઈ જાય છે. શરીરમાં રેશા ત્યારે જ ભળશે જ્યાર તમે પાણી પીશો. પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. 

4. સવારે ગરમ પાણી અને લીંબૂ પીવોઘણા લોકો સવારે ઉઠતા જ ઘણુ બધુ પાણી પીએ છે. જેથી તેમનુ પેટ ઠીક રહે,પણ જો તમે ગરમ લીંબૂ પાણી પીશો તો તમારું પાચન યોગ્ય રહેશે અને કબજીયાતની ફરિયાદ નહી રહે. 

5. વસાયુક્ત ભોજન ન ખાશોશુ તમને પિઝા, બર્ગર,ફ્રેંચ પાઈઝ કે પછી રોલ્સ ખૂબ પસંદ છે ? તો પછી આ ફૈટી ફૂડ તમારુ પેટ ક્યારેય સારુ નથી રાખી શકતા. આ ફુડ્સમાં ફાયબર બિલકુલ નથી હોતુ. તેથી તમે ફણગાવેલા અનાજ ખાવ જે જલ્દી હજમ થઈ જાય છે. 

                                                                        આયુર્વેદિક ઉપચાર
શીળસ
  1. કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
  2. રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
  3. ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાણી, તેમાં સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં બે વાર પીવાથી કોઈ દવાથી ના મટતું શીળસ માટે છે.૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે.
  4. ૧ ડોલ નવસેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા-બાય-કાર્બ) નાખી તે પાણીથી સ્નાન કરવાથી શીળસ માટે છે.
  5. પાવલીભાર અજમો લઇ વાટી તેમાં તેટલા જ ગોળ સાથે રોજ સવારે નરણે કોઠે ગળી જવો. જરૂર પડે તો રાત્રે પણ આમ કરવું. આ પ્રયોગથી શીળસ મટે છે.

કૂતરું કરડે

  1. કૂતરું કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘૂંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
  2. કૂતરું કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી, લસણની ચટણીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ આ પ્રમાણે કરવાથી) કૂતરાના ઝેરનો નાશ થાય છે.
  3. હડકાયું કૂતરું  કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
  શીતળા
  1. શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.
  2. હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતલના જામી ગયેલા ઘા પર ભભરાવવાથી ફાયદો થાય છે.
  3. ધાણા અને જીરૂ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી.
  4. શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.
 તાવ

  1. કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આની ભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતારી જાય છે અને તાવ ઊતર્યા પછી સવાર-સાંજ દોઢ આની ભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.
  2. કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે.
  3. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતારે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
  4. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મીનીટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
  5. લસણની પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલમાં કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
  6. તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મત છે.
  7. ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
  8. તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ મટે છે.
  9. પાંચ ગ્રામ તાજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઊકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લુનો તાવ-બેચેની મટે છે.
  10. ૧૦ ગ્રામ ધાણા અને ૩ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લુનો તાવ મટે છે.
  11. એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  12. ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
  13. ગરમ કરેલા  દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  14. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  15. જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ માટે છે.
  16. ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ માટે છે.
  17. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ માટે છે.
  18. તુલસીનો રસ ૧૦ ગ્રામ આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મલેરિયાનો તાવ મટે છે.
  19. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઊતરે છે.
  20. મલેરિયાના તાવમાં વારંવાર ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી , થોડી થોડી વારે પીવાથી ઊલટી માટે છે.
  21. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
  22. મઠ કે મઠની દાળનો સૂપ પીવાથી રોજ આવતો તાવ માટે છે.
  23. એલચી ૩ નંગ તથા મારી ૪ નંગ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે ટે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ માટે છે.
  24. તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ ૦| ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ માટે છે.
  25. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ માટે છે.
  26. શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ માટે છે.
  27. સનીપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલીશ કરવાથી આરામ થાય છે.
  28. હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવી (કપ%8

ખરતા વાળનો ઈલાજ....

Picture
કાકાઈનું નામ કોઈ નહીં સાંભળ્યું હોય ? ઔષધરૂપે તેનો સીધો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, પરંતુ વાળની વિકૃતિઓ માટે જેવી કે વાળ ખરી જવા, વાળ બટકી જવા, ખોડો થવો, ઉંદરી થવી, વાળની વૃદ્ધિ અટકી જવી વગેરેમાં અમે વૈદ્યો વાળની સ્વચ્છતા માટે એટલે કે વાળ ધોવા માટે ચીકાકાઈના ઉપયોગની ખાસ સૂચના આપવાના જ.

ચીકાકાઈમાં અરીઠા જેવા જ તત્ત્વો હોય છે, તેથી માથાના વાળ ધોવા માટે તેનો ઉપયોગ અરીઠાની જેમ જ કરી શકાય. ચીકાકાઈમાં સાબુ જેવા વાળને નુકસાન કરે એવા દાહક અને રુક્ષ ગુણો હોતા નથી.

તેમાં શીતળ અને સ્નિગ્ધ ગુણો હોવાથી વાળને રેશમ જેવા સુંવાળા બનાવે છે. સાબુમાં રહેલ કોસ્ટિક સોડા તેના દાહક ગુણથી વાળની ઉપર સૂક્ષ્મ ઉઝરડા પાડે છે, જેથી વાળની મજબૂતાઈ ઘટે છે. ચીકાકાઈમાં એક બીજો વિશેષ ગુણ ‘જંતુઘ્ન’ રહેલો હોવાથી તે માથાની ત્વચાની વિકૃતિઓ જેવી કે ઉંદરી, તપોડિયા, ખોડો, મસા, ખંજવાળ વગેરેને મટાડે છે. સાબુમાં આ ગુણ હોતો નથી. આ ગુણને ધ્યાનમાં રાખીને જ અમે વૈદ્યો તેના ઉપયોગની સલાહ આપીએ છીએ.

દક્ષિણ તેમ જ ઉત્તર ભારતમાં આ ચીકાકાઈનાં વૃક્ષો ઝાડીના રૂપમાં ઊગી નીકળે છે. દક્ષિણ ભારત કરતાં ઉત્તર ભારતમાં થતી ચીકાકાઈની સિંગો ગુણની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાય છે.

ઔષધરૂપે તેની સિંગો અને પાન બંને વપરાય છે. ચીકાકાઈની સિંગોનો સ્વાદ અરીઠા જેવો સહેજ ખાટો, સહેજ કડવો અને વધારે પડતો તીખો હોય છે. ચીકાકાઈનાં પાન આમલી જેવા ખાટા અને રુચિ ઉપજાવનારા છે. ચીકાકાઈમાં બીજા ઘણાં ઔષધોય ગુણો રહેલાં હોય છે. જેવા કે, ચીકાકાઈની સિંગ કફને દૂર કરનાર અને વાયુનું અનુલોમન કરે છે. અનુલોમ એટલે નીચેની ગતિ. ઊલટીઓ કરાવવા પણ માટે ચીકાકાઈની સિંગોનો ઉપયોગ કરવામાં આવે છે. નાડીની ગતિ મંદ પડી ગઈ હોય એ વખતે તેનો ઉપયોગ કરવામાં ચીઆવે તો નાડીની ગતિ ઉત્તેજાઈને તીવ્ર બને છે. તેના ઉપયોગથી મૂત્રપ્રવૃત્તિ વધે છે. તેથી જ વૈદ્યો મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, સોજો અને પથરીના રોગમાં તેને વાપરે છે.

તેનાં પર્ણો ખાટાં હોવાથી આમલીની જગ્યાએ વપરાય છે. તેનાં પર્ણોના ઉપયોગથી યકૃત એટલે કે લીવરની ક્રિયાને ઉત્તેજન મળે છે. તે જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે અને તેનામાં અનુલોમન કરાવવાના ગુણો હોવાથી તે મળ પ્રવૃત્તિ સાફ લાવે છે.

ચીકાકાઈ વિશે વૈદકના પ્રાચીન ગ્રંથો ચરક અને સુશ્રુતમાં તેનો ઉલ્લેખ થયો છે, પરંતુ તેના નામમાં હજુ મતભેદ પ્રવર્તે છે. કોઈ એને સપ્તલા ગણે છે અને કોઈ એને થોરની જાત ગણે છે. આપણે એ મતભેદમાં પડવાની જરૂર નથી.

ચરક-સુશ્રુતમાં તેનો ઉપયોગ વાયુના અને ઉદરના રોગોમાં થયો છે. તે મૂત્રલ એટલે કે મૂત્ર પ્રવૃત્તિ વધારનાર અને મળનું સંશોધન કરનાર છે. પિત્તના કોઠાવાળા અથવા મૃદુ કોષ્ટવાળા તેના મૂળને સૂંઘે તો પણ રેચ લાગી જાય છે.

અરીઠાની જગ્યાએ માથાના વાળ સાફ કરવા માટે ચીકાકાઈ વપરાય છે. ચીકાકાઈનો સાબુ પણ બજારમાં મળે છે, પરંતુ સૌથી ઉત્તમ ઉપયોગ તો તેનો ઉકાળો બનાવીને વાપરવાનો ગણાવાય છે.

તેની સિંગોના ભૂકાનો ક્વાથ-ઉકાળો બનાવી સ્નાન કરવાથી માથાના વાળ સ્વચ્છ, સુંવાળા અને લાંબા બને છે. તેના ઉપયોગથી માથાનો ખોડો, જૂ, લીખ, ઉંદરી, ખરજવું વગેરે દૂર થાય છે. ખોડાને જડમૂળથી મટાડવા માટે તેનો નિયમિત ઉપયોગ હિતાવહ છે.

તેનો ઉકાળો બનાવવાની રીત આ મુજબ છે. આશરે ચાર ગ્લાસ પાણીમાં ૫૦ ગ્રામ ચીકાકાઈની સિંગોનો અધકચરો ભૂકો નાખી તેને ઉકાળો. ઉકાળતા જ્યારે પાણી બરાબર ઊકળે એટલે તેને નીચે ઉતારી ઠંડું પાડો. પછી આ ઉકાળાથી સ્નાન કરતી વખતે માથાના વાળ ધોવા. આ ઉકાળાથી જાણે સાબુથી માથું ધોતા હોઈએ એવા ફીણ વળે છે.

એક બીજો ઉપયોગ
ચીકાકાઈનાં પાન વાટી, મરીના ચૂર્ણ સાથે આપવાથી કમળો અને લીવરના રોગો મટે છે, તે પિત્તનું વિરેચન કરાવે છે. તેથી કમળાના દર્દીને ચીકાકાઈનાં પાન હિતાવહ છે. કારણ કમળામાં પિત્તના માર્ગોમાં સોજો આવવાથી તે બહાર પાચનતંત્રમાં આવી શકતું નથી અને તે અવરુદ્ધ થયેલું પિત્ત લોહી સાથે ભળવાથી કમળાના દર્દીની આંખ, નખ, જીભ, ત્વચા વગેરે પીળા પડી જાય છે. આમ ચીકાકાઈ પિત્તનું વિરેચન કરાવતું હોવાથી કમળાના દર્દીને માટે હિતાવહ છે. (ઉપયોગમાં માત્ર પાન જ લેવા). મર્હિષ ચરકે તેનો વિરેચન દ્રવ્યોમાં ઉલ્લેખ કર્યો છે. સુશ્રુતમાં તેનો અનેક રોગોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલો છે.

સંગ્રહણી જેવા કષ્ટસાધ્ય રોગોમાં તેનો ક્ષાર દ્યૃતનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે.

ખીલ, ખરજવું, દાદર અને ત્વચાના રોગોમાં તેનો ક્ષારદ્યૃતનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે.

ખીલ, ખરજવું, દાદર અને ત્વચાના રોગોમાં તેનો ઉપયોગ સ્નાનમાં કરવો એ વધારે હિતાવહ ગણાય.



કષ્ટદાયક કમરનો દુખાવો દુર કરશે આ આયુર્વેદિક ઉપચાર
         આયુર્વેદ પ્રમાણે વાયુ વિના પીડા થતી નથી. શૂળનું મૂળ કારણ વાયુનો પ્રકોપ હોય છે. સામાન્ય રીતે વાત પ્રકોપ આહારનું સેવન કરવાથી વાયુ પ્રકોપ પામી જ્યારે કટપિ્રદેશમાં સ્થિર થાય છે ત્યારે રસવહ સ્ત્રોતનો અવરોધ થાય છે અને પ્રકૃપિત વાયુ કમરમાં વેદના ઉત્પન્ન કરે છે, જે અસહ્ય હોય છે. વાતપ્રકોપ આહારના સેવનથી, શક્તિથી વધુ શ્રમ કરવાથી, વારંવાર વમન વિરેચન લેવાથી, શરીરમાં માર વાગવાથી, અધિક ભયભીત થવાથી તથા રાત્રિના ત્રીજા પ્રહરમાં વાયુનો પ્રકોપ થાય તેવા સમયે ભોજન લેવાથી પણ વ્યક્તિ કમરના દુખાવાનો ભોગ બને છે. તેમાંથી છુટકારો મેળવતા ઇલાજને કટિબસ્તિ કહે છે.

*ચિકિત્સા


- રોગીને સ્નેહન તેમજ સ્વેદન કરાવવું જોઇએ.
- સ્નેહન માટે ક્ષીરબલા તેલ, મહાનારાયણ તેલ કે વિષગર્ભ તેલનો પ્રયોગ કરવો જોઇએ.
- સમ્યક પ્રકારે સ્નેહન કરાવવું જોઇએ. સ્વેદન માટે દશમુલ કવાથથી બાષ્પસ્વેદ આપી સ્વેદન કરાવવું.
- કટિપ્રદેશમાં તેલ વડે અભ્યંગ કરી નિરગુન્ડીનાં પાન દ્વારા પત્રપિંડ સ્વેદન કરાવવું જોઇએ.
કટિબસ્તિ પ્રયોગ કરવો જોઇએ. કટિપ્રદેશમાં અડદના લોટની દીવાલ બનાવી તેમાં થોડું થોડું સુખોષ્ણ એટલે સહી શકાય તેવું ક્ષીરબલા તેલ ભરી દેવું જોઇએ.

થોડા સમય સુધી તેલ ભરી રાખવું જોઇએ. ત્યારબાદ ઠંડું પડ્યા પછી તેલ કાઢી ફરી સુખોષ્ણ તેલ ભરવું જોઇએ. એક કલાક સુધી આ પ્રક્રિયા કરવી જોઇએ. થોડા દિવસોમાં કટપિ્રદેશમાં
પ્રકૃપિત વાયુનું શમન થઇ કમરનો દુખાવો શાંત થાય છે.

*ઔષધોપચાર


- અશ્વગંધા ચૂર્ણ ૩ થી ૬ ગ્રામની માત્રામાં ૧ ગોળી વિષતિન્દુકવટી મેળવી દૂધ સાથે આપવી.
- આરોગ્યવધિર્ની, વાતાગજાંકુશ અથવા મહાવાતવિધ્વંસકરસ, વાતગજેન્દ્રસિંહ ત્રણે ૨ રતિની માત્રામાં લઇ દિવસમાં ૩ વાર મધ સાથે આપવું.
- મહાયોગરાજ ગૂગળની ૧ ગોળી મહારાસ્નાદિ કવાથ સાથે આપવી.
- અશ્વગંધારિષ્ટ, બલારિષ્ટ, દશમુલારિષ્ટ ૨-૨ ચમચી લઇ તેમાં સમાન ભાગે પાણી ઉમેરી આપવું જોઇએ.

*આહાર-વિહાર
કમરના દુખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવવા ખાવા-પીવામાં પણ થોડી કાળજી લેવી જરૂરી છે. તો શું ખાવું? શું ન ખાવું? અને શું ન કરવું જોઇએ એ અંગે થોડું જાણીએ.

*શું ન ખાવું?:
કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.

*શું ન કરવું?:
ઉજાગરા ન કરવા જોઇએ. મળ-મૂત્ર-સ્વેદ-છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજિયાત ન થવા દેવી, ચિંતા-ભય-ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.

*શું ખાવું?:
સાદો-સુપાચ્ય આહાર લેવો. વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો.

વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે. તેમાંથી છુટકારો મેળવવાના ઇલાજને કટિબસ્તિ કહે છે.
                             

                                                                           

સંધી વા માટે ના આયુર્વેદિક ઉપચાર (Rheumatoid Arthritis) aamavata

સંધી વા ને 100%  મટાડવા માટે કોઈ ઉપચાર નથી 
પરંતુ આપને તેની અસર ઘટાડી શકીએ છીએ . તેમજ તેને આગળ વધતું અટકાવી શકીએ છીએ.
મારા અમુક સંસોધન થી આ માહિતી મને મળેલ છે જે હું અહીં આપની સાથે share કરું છુ .


1. મુખ્ય દવા 
  • લસણ 
  • આદુ (સુંઠ )
  • ભાલ્લાતક (bhallatak )
  • કળા મરી (Pippali )
  • હિંગ 
  • જેઠીમધ 
2. ખોરાક 
ખોરાક માં શું  લેવું 
  • જવ , કળથી , ચોખા 
  • સરગવો , સતોડી , આદું , કારેલા ,પરવર, લસણ, પીવા માટે ગરમ પાણી.
ખોરાક માં શું નહિ લેવું 
  • મીઠાઈ , ગોળ 
  • અડધ તેમજ અડધ દાળ 
  • બહાર નું તેમજ કાચું ખાવાનું 
  • મરચા વારુ, તરેલુ , વધારે મીઠાવાળું ખોરાક ના લેવો 
  • દહીં, દૂધ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ઠંડુ પાણી 
3. દિનચર્યા 
શું કરવું 
  • પ્રાણાયામ , યોગા, ધ્યાન 
શું ના કરવું 
  • દિવસ દરમિયાન સુવાનું ટાળવું 
  • રાત્રે મોડે સુધી ઉજાગરા ના કરવા 
  • ઠંડા વાતાવરણ થી દુર રહેવું (એર કંડીશનર નો ઉપયોગ ટાળવો )
  • ખોટી ચિંતા  થી દુર રહેવું 
  • પીવા ને નહાવા માટે ગરમ પાણી નો ઉપયોગ કરવો 
  • વિરોધી ખોરાક ના લેવો 
4. આયુર્વેદિક સારવાર 
  • હળદર - તાજી હળદર ની ગાંઠ ના તેલ ની માલીશ કરવી 
  • હિંગ - હિંગ ને નાળીયેલ ના તેલ સાથે અથવા તો આદું ને જીણું વાટી  ને તેની જોડે હિંગ મેળવી ને દુખતા ભાગ પર લાગવાથી દુખાવા માં રાહત રહે છે 
  • લસણ - લસણ ને સાંજે છાસ માં પલાળી સવારે તેના અંકુર ને નીકળી ને સાદા  પાણી થી ધોઈ નાખવું , ત્યાર બાદ તેને ગરમ પાણી જોડે સવારે ખાલી પેટે 1 થી 2 ચમચી જીણું ચાવી ને લેવાથી રાહત થાય છે .
  • આદું - આદું  ને ખોરાક માં તેમજ તેની ક્રીમ દુખાવા ની જગ્યા એ લાગવા થી રાહત થાય છે .
  • જેઠીમધ - જેઠીમધ ના 1 નાના  ટુકડા  ને જીણું ચાવી ને ખાવા થી રાહત થાય છે 
5. અમુક આયુર્વેદિક દવાઓ પણ માર્કેટ માં મળે છે 
  • Mahayogaraja Guggulu tablet 
  • Sahacharadi Oil 
  • Vishagerbha Oil 
  • Kashirabala Oil 
  • Dhanvantara Oil 

ખાસ નોંધ : આયુર્વેદિક દવાઓ શરીર ની તાસીર પર પણ આધાર રાખે છે એટલે જે અમુક દવાની આપને એલેર્જી  હોય તો તેનો ફેરફાર કોઈ પણ આયુર્વેદિક તજજ્ઞ ના સુચન મુજબ કરી શકો છો .

દરરોજ 2 પલાળેલી બદામ ખાઓ, પછી જુઓ
 
જો તમે વિચારતા હોવ કે બદામ ખાવાથી ફક્ત તમારી યાદશક્તિ જ વધે છે તો જરાં તેના અન્ય ફાયદાઓ પણ વાચી લેજો...

દરરોજ રાત્રે બે બદામ માટલાના પાણીમાં પલાળી લો અને સવારે નયણાકોઠે તે ખાઈ લો પાણી પણ પી જાઓ. તેની ન ફક્ત યાદશક્તિ વધશે પણ આટલા ફાયદા પણ થશે.

-બદામ તમને સુંદર પણ બનાવે છે તે ત્વચાને કોમળ બનાવે છે
-ડાયાબીટિઝના દર્દીઓ માટે પણ બદામ ખાવી હિતાવહ છે.
-હ્રદય રોગના ખતરાને પણ ઓછુ કરે છે બદામ
-દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે
-તેમજ પલાળેલી બદામ યાદશક્તિ પણ વધારે છે.
-એટલું જ નહીં તે આંખો પણ તેજ કરે છે.

કબજિયાત,બ્લડપ્રેશર,કેન્સર..દરેક માટે રામબાણ છે આ ઉપાય


પોતાના ડેઇલી રૂટિનમાં બીટનો સમાવેશ કરવો એ તંદુરસ્તી માટે કોઇ વરદાનથી ઓછું નથી. તેનાં નિયમિત સેવનથી સંપુર્ણ શરીરને નીરોગી રાખવામાં અત્યંત મદદરૂપ નીવડશે. જો કે હાલનાં આપણાં દૈનિક આહારમાં આપણે બીટને યોગ્ય સ્થાન આપ્યું નથી. પરંતુ તેને નિયમિત ખાવાથી ઘણાં રોગોમાં લાભ થાય છે.

બીટ પોતાનાં અદભુત ગુણોને કારણે લાજવાબ તો છે પરંતુ તેનાથી પણ વધીને તેની વિશેષતા એ છે કે તે ઘણી ગંભીર બીમારીઓને નષ્ટ કરી નાખવામાં અસરકારક ભુમિકા ભજવે છે. આવો, જાણો આ કીંમતી વિશેષતાઓનો ખજાનો બીટ એ કઇ –કઇ બીમારીઓને મટાડે છે.

1. એસીડોસિસ : બીટમાં રહેલા ક્ષારની વિશેષતા એ છે કે જે શરીરમાંના એસીડોસિસને રોકવામાં અત્યંત સહાયક ભુમિકા ભજવે છે.

2 લોહીની ઉણપ (એનીમિયા) : બીટમાંથી મળતા ઉચ્ચ ગુણવત્તાનું લોહ તત્વ લોહીમાં હિમગ્લોબીનનાં નિર્માણમાં અને લાલ રક્તકણોની સક્રિયતા માટે અત્યંત પ્રભાવશાળી અસર દેખાડે છે

3.બ્લડ પ્રેશર : વિશેષજ્ઞોનું માનવું છે કે બીટનાં રસનું નિયમિત સેવન લોહીનાં દબાણને નિયંત્રિત રાખે છે. ઊંચા લોહીનાં દબાણને ઓછું કરવામાં પણ બીટ અત્યંત ગુણકારી છે.

4 કબજિયાત : બીટનાં મુલાયમ રેસાઓ આંતરડાની ગતિને જાળવી રાખે છે. તેનાં નિયમિત રૂપે ખાવામાં આવે તો લાંબા સમય સુધી ચાલી આવતી કબજિયાતથી મુક્તિ મળે છે.

5 લોહી કણિકાઓમાં આવતું સંકોચન : બીટનાં રસનું નિયમિત સેવન લોહીની નળીઓમાં કેલ્શિયમનાં બ્લોકને હટાવીને તેને લચીલું રાખે છે, જેનાથી સુગમતાથી લોહી સંચાર થાય છે.

6 . કેન્સરથી બચાવ : બીટમાંથી મળતા એમિનો એસીડમાં કેન્સર વિરોધી તત્વ મળે છે.શોધ અભ્યાસમાં પણ પ્રતિપાદિત થયું છે કે બીટનાં રસનાં નિયમિત સેવનથી કેન્સરકારક તત્વોનાં નિર્માણને રોકીને પાચનક્ષમતાની કાર્યક્ષમતા વધારે છે.

7. ઝેરી તત્વોને બહાર ફેંકવા
બીટનાં રસનાં નિયમિત સેવનથી ઝેરીલા તત્વોને બહાર નીકાળે છે તે પણ માત્ર યકૃતનાં જ નહિ પણ સંપુર્ણ પાચન તંત્રનાં હાનિકારક તત્વોને શરીરથી બહાર નીકાળીને આરોગ્ય પ્રદાન કરે છે.બીટની સાથે જો ગાજર પણ લેવામાં આવે તો તે પિત્તાશય અને વૃકક્થી હાનિકારક દ્રવ્યોને હટાવીને આ અંગોની કાર્યક્ષમતા વધારે છે.

વિશેષ :
જમવામાં પત્તાવાળાં બીટનો જ ઉપયોગ કરો.પત્તાં સાથે બીટને 3- 4 દિવસમાં રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવાં પર તેમનાં પાનની નરમાશ બની રહે છે, જ્યારે પત્તા વગરનાં બીટને લગભગ 2 અઠવાડિયાં સુધી સંગ્રહ કરી શકાય છે.જે બીટનો નીચેનો ભાગ ગોળ હોય, તે બીજાથી વધારે સ્વાદિષ્ટ હોય છે. તાજા અને કાચા બીટમાં એક વિશેષ સુગંધ હોય છે, જે તેનાં સ્વાદને વધારે છે.

                                                દાદીમાનો ડાબલો
  • -બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
  • -એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું (મેદસ્વીપણું) મટે છે. આ ઉપરાંત પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ, વીસ તોલા સહેજ ગરમપાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી પણ એક-બે મહિનામાં જાડાપણું મટે છે.
  • -લૂ લાગી હોય તો કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે.
  • -લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
  • -2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ સાથે અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
  • -મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.
  • -રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જળમૂળમાંથી મટે છે. બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. હળદળ અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  • -વાળ ખરતાં હોય તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિં. ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાંખી ઉકાળીએ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકદાર બને છે.
  • -1 થી 2 ગ્રામ જેટલો ખાવાનો સોડા ઘાણાજીરાંનાં ચૂર્ણમાં અથવા સૂદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે. તુલસીનાં પાન દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
  • -લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચિ અને મંદાગ્નિ મટે છે. રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે. ભૂખ ન લાગતી હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.

દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચારો
 આપણામાંના ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે. નીચે મુજબનાં સૂચનો દ્રારા તમને દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચાર માટે કેવી રીતે અને શું કરવું તેની માહિતી મળશે.

  • -લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું.
  • -સરસવનું તેલ એ દાંતનો દુખાવો ઓછો કરવાનો અન્ય એક વિકલ્પ છે. સરસવનાં તેલને ચપટી મીઠાં સાથે મિશ્ર કરી પેઢાંનાં દુખતાં ભાગ પર ઘસવું જોઈએ.
  • -લીબુંનાં રસનાં ઉપયોગથી પણ દાંતનો દુખાવો ઓછો કરી શકાય છે.
  • -તાજી કાપેલી ડુંગળીનાં કટકાને દુખતાં પેઢાં અથવા દાંત પર મુકવાથી પણ દુખાવામાં રાહત થાય છે.
  • -આપ દાંતનાં દુખાવા માટે ઘરે બનાવી શકાય તેવો માઉથવોશ સ્થાનિક વનસ્પતિઓ જેવી કે ઝેરગુલ, હીરાબોલ વગેરેનો ઉપયોગ કરી બનાવી શકો છો. આ ઉપરાંત અન્ય ઔષધિય વનસ્પતિઓમાં તુલસી, વન તુલસી અને હિંગનો સમાવેશ થાય છે.
  • -સૂકા બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને શાંત પાડી શકાય છે.
  • -જો તમે અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો તમારે અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.
  • -ખાવાપીવાની બાબતોની કાળજી રાખવી જોઈએ તથા ખાવામાં મોટેભાગે શાકભાજી, ફળો તથા અનાજનો ઉપયોગ કરવો જોઈએ. જંકફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.


આયુર્વેદિક દવા છે લીમડો : કડવા લીમડાનાં મીઠા ગુણ

Picture





કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે. જાણીએ ગુણકારી લીમડાના રસના ફાયદા...

લીમડાનો રસ પીવાના ફાયદા -


1. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.

2. લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.

3. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.

4. આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે.

5. લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.

6. શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.

7. લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.

ચૂર્ણ બનાવવાની રીત,નામો તથા તેના આયુર્વેદિક ગુણ કર્મ - આયુર્વેદિક ઉપચાર

Picture

ચૂર્ણ બનાવવાની પદ્ધતિ 


સૂકાયેલ ઔષધીના દ્રવ્ય લઇ તેને બરોબર જીણું ખાંડી વસ્ત્ર ગાળન કરવું એટલે ચૂર્ણ તૈયાર થાય છે ,

આયુર્વેદ ગ્રંથોમાં ચૂર્ણની માત્રા મોટા લોકોને  છ માસાથી એક તોલા સુધી અને નાના બાળકોને એક માસાથી  ત્રણ માસા સુધી લેવાની કહી  છે ,  પરંતુ હાલ સમય અનુસાર મોટી માત્રા કોઈ સહી સકતા નથી , તેથી પોતાના કોઠા પ્રમાણે ચૂર્ણની યોગ્ય માત્રા જોઈ વિચારી લેવી જોઈએ , જેથી ટાઇમે પાચન થઇ જાય ,

ચૂર્ણમાં ગોળ ઉપયોગ કરવો હોઈતો સમભાગે નાખવો જોઈએ , સાકર નાખવી હોઈ તો બમણી લેવી જોઈએ , ચૂર્ણને ભાવના દેવી હોયતો કાઢો અથવા  લીબું રસ વગેરે પ્રવાહી ચૂર્ણ ભીજાય તેટલું લેવું જોઈએ ,


ચૂર્ણના નામો તથા તેના આયુર્વેદિક ગુણ કર્મ 

નિમ્બાદિ ચૂર્ણ અને તેના ગુણો , - 
 અનુક્રમે દશ ભાગ લીબડાના પાંદડા , ત્રણ ભાગ હરડા , બહેડા તથા આમળા , ત્રણ ભાગ શુંઠ , મરી તથા પીપર , પાચ ભાગ અજમો , ત્રણ ભાગ સિંધવ , બીડલુંણ તથા સંચળ , અને બે ભાગ જવખારનુ ચૂર્ણ એકઠું કરી માણસે પ્રાતઃ કાળે ખાવું  , આ ચૂર્ણ દરરોજ નો  તાવ , એક  આતરીઓ તાવ , વચમાં  બે દિવસ  છોડી  દઈ ત્રીજા દિવસે આવતો તાવ -મહાધોર ચાતુર્થીક  તાવ , સાત  દશ કે  બાર  દિવસ  સુધી  એક સરખો રહેનારો સંતત નામનો તાવ અને આખા દિવસરાતમાં એકંદર  બે વખત આવતો સતત નામનો તાવ -  આ બધા  ધાતુઓમાં રહેનારા તથા ત્રણે દોષથી થતા  પાંચે વિષમજવરોનો અવશ્ય  નાશ કરે છે ,

સુદર્શન ચૂર્ણ અને તેના ગુણો

મિત્રો આ સુદર્શન ચૂર્ણની માહિતી લોકો સુધી પહોચે તે માટે પંડિત ભાવમિશ્ર -વિરચિત ભાવપ્રકાશ આયુર્વેદિક ગ્રંથ માંથી લેવામાં આવી છે ,  

ભાવમિશ્ર ૧૬ સોળમી સદીના અંતમાં કનોજ દેશમાં જનમ્યા હતા , તેવો સંસ્કૃત શાસ્ત્ર તથા આયુર્વેદના મહાન પંડીત હતા ,  તેમના સમયમાં તેવો આયુર્વેદ વિક્ષાનમાં શિરોમણી ગણાતા હતા ,  

રાજવૈદ પ્રભાશંકરભાઈ ગઢડાવાળાની દોરવણી નીચે શ્રી ગીરીજાશંકર શાસ્ત્રી પાસે અનુવાદ કરાવી ઈ .સ . ૧૯૫૫ માં આ ગ્રંથ  ગુજરાતી ભાષામાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે. અમદાવાદ મુંબઈ  દ્રારા બે ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ,

આ સુદર્શન ચૂર્ણની ફોર્મુલા તથા ઉપયોગીતાની માહિતી ભાવ પ્રકાશ આયુર્વેદિક ગ્રંથમાંથી લોકો સુધી પહોચાડવા  માટે લેવામાં  આવેલી છે ,  

અગત્યની સુચનાસુદર્શન ચૂર્ણની ફોર્મુલા તથા ઉપયોગીતા લોકોની જાણ માટે છે , જે આયુર્વેદ તથા ઔષધિઓના ગુણ તથા રોગના વિષે જાણતા ના હોય તેવા લોકોએ આ સુદર્શન ચૂર્ણનો ઉપયોગ સીધો કરવો નહિ , ડોક્ટર કે વૈધની  સલાહ લઇ આ ચૂર્ણનો ઉપયોગ કરવો , 

આ ભાવપ્રકાશમાં બતાવેલ ફોર્મુલા દ્રારા બનેલ સુદર્શન ચૂર્ણ જ નીચે બતાવેલ રોગોમાં કામ આપે છે ,  આ સુદર્શન ચૂર્ણની ઉપયોગીતા વૈધોએ તથા દર્દીઓ એ સારી રીતે અનુભવેલી  છે , જાણે છે ,

હરડા,બહેડા , આમળા ,હળદર , દારૂ હળદર , મોટા ફળવાળી ભોરીગણી,  નાના   ફળવાળી ભોરીગણી, કચૂરો , શુંઠ, મરી,પીપર , પીપરીમૂળ , મોરવેલ ,  ગળો ,ધમાસો ,કડું, ખડસલીઓ પિત્ત પાપડો , મોથ , ત્રાયમાણ , વાળો , લીંબડો , એરડાના મૂળ , જેઠીમધ ,કડાસાલ , અજમો , ઇદ્રયવ , ભારંગી સરગવાના બીજ ,ફટકડી , વજ , તજ, પદ્મકાષ્ટ , કાળો -વિરણ મૂળ - વાળો , સુખડ , અતિવિષની કળી, નાગબલા , મોટો સમેરાવો , ગંધી સમેરાવો , વાવડીગ , તગર, ચિત્રો , દેવદાર , ચવક , તમાલ પત્ર ,  કડવી પંટોળી, જીવક [અપ્રસિદ્ધ છે ] ,ઋષભક  [અપ્રસિદ્ધ છે ],લવિંગ , વંશલોચન , ધોળું કમળ , કાકોલીના પાંદડા  [અપ્રસિદ્ધ છે ], જાવંત્રી , અને તાલીશ પત્ર એટલા ઔષધ સમભાગે લઇ તેઓનું ચૂર્ણ કરવું , તેમાં એ સંધળા ચૂર્ણના અરધા ભાગના વજને કરીયાતાનું ચૂર્ણ   નાખવું , તેથી સુદર્શન ચૂર્ણ તૈયાર થાય છે ,         

સુદર્શન નામનું આ ચૂર્ણ ત્રણેય દોષને મટાડે છે અને સધળા જવરોને પણ  અવશ્ય મટાડે છે , એમાં વિચારવા જેવું નથી , દોષોથી થયેલા કે લાગવું વગેરેથી થયેલા તાવ , ધાતુઓમાં રહેલા વિષમ જવરો ,સન્નીપાતથી થયેલા જવરો , મનની પીડા સબંધી જવરો , શીત આદિ, દાહ આદિ , પ્રમેહ , ધેન ,ભ્રમ , તરસ , ઉધરસ , શ્વાસ , પાંડુરોગ , હદયના રોગ , કમળો , કેડના પાસલા ભાગનું  શુળ, પીઠનું શુળ , ગોઠણનું શુળ , અને પડખાનું શુળ પણ મટાડે છે , સધળા પ્રકારના તાવને મટાડવા આ ચૂર્ણને ટાઢા પાણી સાથે પીવું , જેમ વિષ્ણુનું  સુદર્શન ચક્ર દાનવનો નાશ કરે છે , તેમ આ સુદર્શન ચૂર્ણ સધળા પ્રકારના તાવનો નાશ કરે છે ,    

યૌવન ચૂર્ણ
દ્રવ્યો } હરડે , બહેડાં , આમળાં , તજ , જેઠી મધ , મહુડાના ફૂલ . આ બધા એક એક ગ્રામ લઇ ચૂર્ણ કરવું

અનુપાન } એક ચમચી મધ અને અડધી ચમચી ઘી સાથે લેવાય.

ક્યારોગ પર અસરકારક } હરસ , ભગંદર , ડાયાબિટીસ , આંખના રોગ પર અસરકારક

.
   ત્રિફળા ચૂર્ણદ્રવ્યો } હરડે  ૧ ગ્રામ , બહેડા ૨ ગ્રામ અને આમલા ૪ ગ્રામ લઇ તેનું ચૂર્ણ બનાવો .

અનુપાન } આ ચૂર્ણને અડધી ચમચી ઘી અને એક ચમચી મધ સાથે લેવું.

ક્યા રોગ પર અસર } તાવ , કફ , પિત્ત , કબજિયાત ,આંખના રોગ માટે અસરકારક


આયુર્વેદ દવાઓ

  • બ્રાહ્મીવટી : મગજના જ્ઞાનતંતુઓ પર ચિંતા, કામનો બોજો ભણવાનો બોજો, ડીપ્રેશન બાળક, વકીલ, જજ, ડો, વૃધ્ધ, માંદગી પછીની નબળાઈ વખતે સાદી બ્રાહ્મીવટી તેમજ સુવણેયુકત બાહ્મીવટી.
  • પ્રબોધક વટી : માથાના દુઃખાવા, શરદી, સળેખમ, ગેસના દબાણને હળવું કરે છે, શરીર - મનને ચેતનવતું ઉત્સાહિત બનાવે છે, ખાંસી, ઝીણો તાવ અશકિત અને કબજીયાત દૂર કરે છે. લોહીના ઉંચા કે નીચા દબાણને ૧૦ મીનીટમાં સમ કરે છે.
  • જવાહર મોહરા : ઉત્તમ હાટેટોનીક, મસ્તિક પૌષ્ટિક, હૃદયની કમજોરી, હાટેએટેક આવવાની શરુઆત કે બાદમાં, નાડીની કમજોરી, ગભરામણ થવી, રકતદબાણ એકદમ વધી કે ધટી જવું, કમજોરીથી થોડું ચાલવાથી શ્વાસ ભરાઈ જવો, સ્મરણશકિત ઓછી થવી, નકામા વિચારો આવવા, થોડા વિચારથી મગજ થાકી જવું, વિરોધ થતાં ઉશ્કેરાઈ જવું, ગરમ થવું ગેરે માટે અકસીર દવા.
  • સુવર્ મકરધ્વજવટી : શતગુણ - ઉત્તમ જંતુધ્ન, વિષપભાવ-નાશક, હૃદયને બળ આપનાર, વાણીને સ્થિરને શુદ્ધ કરનાર, પ્રજ્ઞા, વીયે, સ્મરણશકિત અને કાંતિને વધારનાર, ક્ષય, ધાતુક્ષીણતા,જીણેજવર,ત્રિદોષ જ્ઞાનતંતુની નબળાઈ, વાતવાહિનીઓમાં, ક્ષોભ,ફેફસાની કમજોરી, પેટના રોગો, પાડું, કમળો, પ્રસૂતિના રોગો માટે અકસીર છે.
  • સુવણે મકરધ્વજવટી : ષોડ્ષગુણ - ઉત્તમ ટોનીક, આંતરડા, ફેફસાં હૃદય, મૂત્રાશય વગેરે અવયવોને શકિત આપે છે અને મગજનાં જ્ઞાનતંતુઓને શકિત આપી યાદશકિત વધારે છે. શરીરનું વજન, બળ અને રંગ ઉધાડે છે. એલોપથીક ઈન્જેક્ષનના રીયેકશન, ઈલેદ્રીકશોક, આકસ્મિક સંજોગોમાં હૃદય નબળું પડતાં, બેહોશી વખતે ગોળીવાટી પ્રવાહી સાથે ગળામાં રેડી દેવું. પેટમાં પહોંચાડવાથી તે જ ક્ષણે રિએક્ષન પાછું પડે છે. દર્દી બચી જાય છે. સચોટ રસાયન છે.
  • સુવર્ણ યુકત મુકતાદિવટી : બાળકોના બાલશોષ, જીણેજવર, બાળકોનું ગળી જવું, પાડુંરોગ, અપચો, આફરો, ઉલ્ટી, ઝાડા થઈને દૂધ નીકળી જવું, ખાંસી, સ્કૂતિેનો અભાવ, મોં આવવું, ગાઢો પેશાબ, બાળકને નીરોગી અને બળવાન બનાવે છે.
  • સ્પે. -વસંતકુસુમાકર રસ : ડાયાબીટીસ - મધુપ્રમેહની આ અકસીર દવા છે. જૂના ડાયાબીટીસના ઉપદ્વવથી થયેલ હૃદય વિકાર, શ્વાસ, પ્રમેહ પિટીકા (cerbuncle ) કાસ, મૂચ્છો, ઈન્દ્રિય, દૌર્બલ્ય, સહેજ વિચાર આવતાં જ વીયેસ્ત્રાવ થઈ જવો, નપુંસકતા, મૂત્રપિંડની વિકૃતિ, યાદશકિત ધટી જવી, ભ્રમ, અનિદ્રા, વાજીકરણ અને સ્તંભનનો ગુણ સારા પ્રમાણમાં છે. પણ ઉત્તેજક નથી. કંઈ વાગે ને લોહી નીકવ્યા કરે અને જલ્દી બંધ ના થાય તો તુરત ફાયદો કરે છે. સોજાયુકત સાંધાના દુઃખાવામાં આ ઔષધ ટૂંક જ સમયમાં જ ચમત્કારિક પરિણામ બતાવે છે.
  • વસંત મિશ્રણ : જીર્ણજવર, ધાતુગતજવર, વિષમજવર, અતિસાર, ક્ષય, અશે, તાવ, મંદાગ્નિ, શૂળ, વાતરોગ, પ્રદર, રકતાશે, નેત્રરોગ, રસવાહિની અને રસોત્પાદક પિંડમાં વિકાર થાય છે.ત્યારે આ રસાયન અમૃત સમાન ગુણ કરે છે. પાતળા ઝાડા, કબજીયાત અને ફિકાશ આનાથી સત્વરે મટે છે.
  • વૈક્રાન્ત યોગ : આ ઔષધ રત્રીઓ નું પરમ મિત્ર છે. પ્રજનન સંસ્થાન અને સમગ્ર શરીર માટે પૌષ્ટિક રસાયન છે. શીતવીર્ય, વાત-પિત્ત શામક, વિષધ્ન, સગર્ભા પ્રસૂતા, વંધ્યા અને પ્રદર પીડિત રત્રીઓ માટે સૌમ્ય અને નિર્ભય ઔષધ છે. ગર્ભાશયને બીજાશયના રોગો, શરીરમાં બળ અને સ્કૂતિ ે વધે છે. સંતાન ઈચ્છુક રત્રીને બાળક પ્રાપ્ત થાય છે.
  • બૃહદ્ સુવર્ણ વસંતમાલતી : સવે રોગો માટે વસંતમાલતી સૂચવેલી છે. આ રસાયનમાં જ્ઞાનતંતુ થી માંડી ને સુક્ષ્મમાં સુક્ષ્મ અવયવ સમૂહોને શકિત આપવાનો મહત્વનો ગુણ છે તેથી અંદરના અવયવોની અશિકતથી ઉત્પન્ન થનારા બધા જ રોગોમાં વપરાય છે. શિયાળામાં ખાસ વાપરવા યોગ્ય ભયંકર રોગ કે લાંબી બીમારીમાંથી ઉઠયો હોય ત્યારે રોગ સાથે લડતાં લડતાં થાકી ગયો હોય. શરીરની બધી ધાતુઓ ક્ષીણ થઈ ગઈ હોય છે. રોગ પ્રતિકારક શકિત ધટી ગઈ હોય છે, શરીર નિસ્તેજ અને અશકત થઈ ગયું હોય. ખોરાક લેવાતો ન હોય, પચતો ન હોય, એવી સ્થિતી માં જઠરાગ્નિને ધીમે ધીમે પ્રદિપ્ત કરે છે. પાચકરસની ઉત્પત્તિ અને ક્રિયા સારી રીતે કરે છે. ધાતુઓનો અગ્નિ પણ બળવાન બનાવે છે, શરીરનું ઓજ, તેજ વધે છે. રંગ સુંદર બને છે. જંતુ, ક્ષયની શરુઆતમાં, કંઠમાળ, શરીરના બીજા ભાગમાં, બગલ, પેટ, થાળામાં ગાંઠ થઈ પાણી ઝરવું, ઝીણો તાવ, ભયંકર સૂકી ખાંસી, રૃક્ષતા, અશકિત, માંસક્ષીણતા હાથ-પગ સૂકાઈને લાકડી જેવા થઈ જવા માટે અકસીર દવા છે.
  • શ્વાસકાસ ચિંતામણિ રસ : હૃદય વિકાર જન્ય તમકશ્વાસ, નાડી તાલમાં વિકૃતી, છાતીમાં દબાણ, શ્વાસાવરોધ, શ્વાસ લેવામાં વ્યાકુળતા ફીણવાળો કફનો સ્ત્રાવ, આંશિક મૂત્રાવરોધ, શ્વાસમાં દાહ, ખાટા ઓડકાર, અતિશય ધૂમ્રપાન કરનારાઓની છાતી કફથી ભરેલી રહે છે. ફેફસામાં ચાંદા પડી જાય છે. વધુ પડતા ઉપવાસ, માનિસક ચિંતામાં અકસીર દવા.
  • ગુગળ ગુટિકા : આંઋદ્ધિની અકસીર દવા, સારણગાંઠ, ઉદરશૂળ, કબજીયાત, પેટની શૂળ મટાડી આંતરડાને સબળ અને યોગ્ય રીતે કામ કરતાં કરે છે
  • કર કચવટી : કૃમિદોષ, કૃમિજન્ય તાવ, અપચાજન્ય તાવ, મંદ જીણેજવર, પેટમાં દુઃખાવો આફરો, ઉલ્ટી, અતિસાર, મળાવરોધ, અગ્નિમાંધ, કૃમિના લીધે પાંડુત્વ, સોજા અને નિબેળતા દૂર કરનાર.
  • કુષ્ઠ હર : કોઢની અકસીર દવા છે. સહાયક ઔષધ સાથે ધીરજપૂવેક સેવન કરવાથી હઠીલું દદે મૂળમાંથી મટે છે.
  • ગેસ માટે : ગેસ માટે અજોડ દવા છે. એક સ્થાને બેસીને કામ કરનારા માટે, ગેસ, પેટ ભારે થવું આફરો ચઢવો, ચૂંક આવવી, હૃદય પર દબાણ થઈ છાતીમાં દદે થવું, આંતરડા નબળા પડી ઝાડા થવા, કૃમિને લીધે આવતી વાઈમાં શીધ્ર ફાયદો કરે છે.
  • ગુડુચ્યાદિવટી : મેલેરિયા, ટાઢીઓ તાવ, એકાંતરિયો અને ચોથીઓ તાવ, સતત રહેતો તાવ વષમજવરનો નાશ કરનાર બરોળની વૃધ્ધિ, મંદાન્ગિ, નિસ્તેજતા, ઈન્ફલ્યુએન્ઝા, આમવાતજવર, જીણેજવરમાં ખૂબજ સારું પરિણામ આપે છે.
  • સંશમની ગુટિકા : જીર્ણજવર, પાંડુંરોગ,ખાંસી, પ્રદર, ધાતુસ્તાવ, અશકિત ને ક્ષયની શરુઆતની અવસ્થામાં ઉત્તમ ફાયદો કરે છે. તે રસાયન ગુણ ધરાવે છે.
  • શામક : આયુેવેદનું આ એન્ટિબાયોટિક છે. કોઈપણ ઔષધનું રીએક્ષન - ખંજવાળ બળતરા, ફોલ્લીઓ થઈ જવી, ચામડી અને મોંનો રંગ લાલ થઈ જવો, પિત્ત પ્રકોપનાં લક્ષણો દેખાય ત્યારે તુરત જ આ દવા અકસીર પરિણામ આપે છે.
  • સ્નાનરજ : ત્વચાને સુંવાળી બનાવે છે. શરીરનો વર્ણ સુધારે છે. ત્વચાદોષ દૂર થઈ ઝડપથી રોગ મટે છે. ખોટી ગરમી બળતરા શરીરની દૂર કરે, આખો દિવસ સુખડ ને ખસની સુગંધથી મનને પ્રફુલ્લિત કરે છે, ઉત્તમ સૌંદયે વધેક છે. ધસીને ન્હાવાથી શરીર હલકું થઈ જાય છે. પરસેવાની દૂર્ગધ ઓછી કરે છે.
  • આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ 
  • ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા, ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ 
  • ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ રોગીનું, મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું 
  • બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન, હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન 
  • રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી 
  • ફણગાવેલા કઠોળ જે ખાય, લાંબો, પોહળો, તગડો થાય દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય 
  • મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર 
  • ખાંડ,મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય, નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય 
  • કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી 
  • હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ 
  • લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો, મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો 
  • ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય, ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય 
  • મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ, બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું માંદુ 
  • આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ 
  • કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી, જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી 
  • સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

ખીલ

લગભગ દરેક ટીનેજર્સ અને યુવાનોને ખીલનો પ્રોબ્લેમ સતાવતો હોય છે. ખીલ શું છે અને એ કેમ થાય છે? ખીલ એ હોર્મોન્સના બેલેન્સ બગડવાનું પરિણામ છે.testosterone નામના હોર્મોન્સથી આપણી ત્વચા ફાટે છે. પુરુષ અને સ્ત્રી બંનેના શરીરમાં testosterone નામના હોર્મોન્સ આવેલા હોય છે. જો તમને ખીલ છે તો તેનો એ અર્થ નથી કે testosterone હોર્મોન્સનું પ્રમાણ એબનોર્મલ છે, પરંતુ આપણી ત્વચ આ હોર્મોન્સને એબ્નોર્માંલી  રિએક્ટ કરે છે. તમે જયારે બોડી હેર sprouting કરવાનું શરુ કરો છો ત્યારથી જ તમે ખીલ ને આમંત્રણ આપો છો. આપણી ત્વચામાં testosterone હોર્મોન્સ sebaceous નામનીગ્રંથીને sebum નામનું ઓઈલી દ્રવ્ય ઉત્પન્ન કરવું કહે છે. હવે ત્વચાની અંદરની tubes આ તકલીફમાં વધારો કરે છે. આ tubes આપણી રુંવાટીને પકડી રાખે છે અને તે sebum ને કારણે ચીકણી બની જાય છે અને ધીમે ધીમે બ્લોક થઇ જાય છે.અને પરિણામ સ્વરૂપે તમને મળે છે blackheads. અને જો sebum આ tubes ને complete block  કરી દે તો તેનું પરિણામ આવે છે એક મોટા ખીલ ના સ્વરૂપ માં.

 તો સમય થઇ ગયો છે તમારા ડોક્ટર પાસે જવાનો અને ખીલ નો ઈલાજ કરાવવાનો.અહી ખીલ માટે થોડી ઘરગથ્થું ઉપચારની યાદી આપેલી છે.

૧. જો તમને લાલ કલરના દેખાતા ખીલ થયા હોય તો તેને અડશો નહિ. જો તમે એને ખોદશો અથવા ઘસશો તો એમાં રહેલો ચીકણો પદાર્થ વધારે ઊંડો પહોચી જશે અને પહેલા કરતા પણ વધારે મોટા અને વધારે લાલ ખીલ જોવા મળશે.

૨. જો તમને પીળાશ પડતા પાણી કે રસી વાળા ખીલ હોય તો  તેને ઘસી કે ફોડી શકાય છે પરંતુ ઘણી કાળજી પૂર્વક. પહેલા તમારા હાથ સારી રીતે ધોઈ લો જેથી infection ના થાય. હવે તમારી આંગળી ઉપર tissue મુકો. જેથી રસી અથવા પાણી અરીસામાં ના ફેલાય અને tissue પર જ રહે. હવે ધીમે ધીમે દબાવાનું અને ઘસવાનું ચાલુ કરો. પરંતુ હા, કંઈપણ કરો પરંતુ તમારા નખ તેને ના અડે તેનું ધ્યાન રાખો નહીતર તમારી ત્વચા ને તે નુકશાન કરી શકે છે. હવે ઘણું બધું દબાવ્યા બાદ હવે થોભો અને જુઓ કે રસી નીકળી ગયું છે અને હવે ત્યાં પીળાશ પડતું ખીલ નથી રહ્યું પરંતુ ફૂટી ગયેલું ખીલ છે. હવે antiseptic લગાવો અને તે ખીલને થોડા સમય માટે એકલું છોડી દો. તે હવે વધારે ઝડપથી સારું થઇ જશે. અને હવે તમારા હાથ ફરી વખત ધોઈ લો.

3. Whiteheads and blackheads. જો ખીલ સારવાર વગરનું રહી જાય તો આ પ્રોબ્લેમ થાય છે. અહી નિયમ એ છે કે જો એ blackheads હોય તો એને ઘસી કાઢો અને જો એ whiteheads  હોય  તો તેને એમજ છોડી દો. પરંતુ હાથ ધોવા અને જો કઈજ ફેરફાર ના જણાય અથવા લોહી નીકળે તો tissue જ વાપરો અને હાથ ધોઈ લો વગેરે જેવા અફર નિયમ ધ્યાન માં રાખો.

ખીલની સારવાર માટેની થોડી ટીપ્સ:

૧. ક્યારેય તેને ધોઈ નાખવાની કોશિશ ના કરો:
ખીલ એ ધૂળ થી નથી થતા.જોવા જઈએ તો ઓઈલી સ્કીન વાળા લોકોની ત્વચા ડ્રાય સ્કીન વાળા લોકો કરતા વધારે ક્લીન હોય છે. કારણકે તેઓ ડ્રાય સ્કીન વાળા લોકો કરતા ઓછી વખત ફેસ વોશ કરે છે. અને હકીકત એ પણ છે કે વધારે વખત ફેસ વોશ કરવાથી સ્કીન ડ્રાય બની જાય છે અને તે ખીલ ને વધારે નુકશાન કરે છે. આથી વધારે પડતા ખીલ હોય તો mild soap અને પાણી થી જ  દિવસમાં બે થી વધારે વખત વોશ ના કરો.  અને જો તમારી ત્વચ સુકી હોવાથી patches તહી ગયા હોય તો moisturizer લગાવવામાં કોઈ જ વાંધો નથી. તે તમારા ખીલને નુકશાન નહિ પહોચાડે. અને છતાં પણ તમને ડર લાગતો હોય તો oil-free moisturizer ટ્રાય કરો.<.p>૨. તેના ઉપર nuclear જેવા અખતરા ના કરો:
અત્યારે બજારમાં ઘણા counter creams, gels, lotions અને પોતીઓન્સ ઉપલબ્ધ છે. અને તેમના ઘણા benzoyl peroxide જેવા પાવરફુલ બ્લીચીંગ એજન્ટ ધરાવે છે. તમે તેના લેબલમાં તેની માત્રા વાંચી શકો છો. અને તમે આવી વસ્તુઓની જાહેરાતો થી nuclear જેવા અખતરા કરવા માટે લલચાઈ શકો છો. અને આવી રીતે તમે તમારી ત્વચા જોડે અમાનુષી અત્યાચાર કરો છો. અને એ તમારી ત્વચાને વધારે ડ્રાય કરી શકે છે. અને તમે તો પણ બ્લીચ કરવા માંગતા હો તો mild bleach જ use કરો.

૩. બે મહિના નો સમયગાળો નક્કી કરો:
જો તમે બે મહિનાથી ઘરે જ સારવાર કરતા હો અને છતાં કોઈ ફેરફાર ના જણાય તો સમય આવી ગયો છે કે ડોક્ટરની appointment લો.

૪. તમારા ડોક્ટર અને બે મહીનાનો સમય
આ બાબતમાં ડોક્ટર તમને antibiotics જ આપશે. એ અથવાતો ટેબ્લેટ હશે અથવાતો ચહેરા પર લગાવવાની ક્રીમ હશે. ડોકટરના કહેવા પ્રમાણે અનુસરો અને તમને બે મહિનામાં નોટીસ કરી શકો તેવા ફેરફાર દેખાશે.અને જો તેમ ના થાય તો ડોક્ટર ને ફરી બતાવો. પરંતુ બે મહિના સુધી નો સમય તો લેવો જ પડશે.

૫. તમે કોઈ પરગ્રહવાસી નથી અને થોડી ધીરજ રાખો:
તમે એકલાજ નથી, હજારો ટીનેજર્સ ખીલ માટેનો ઈલાજ કરવા ફાફા મારતા હોય છે. અને જો લોકો ને તમારી પડી હશે તો તેઓ તમારા ખીલ તરફ ધ્યાન પણ નહિ આપે.પરંતુ તમે કેટલું ધ્યાન આપો છો તે મહત્વનું છે. અને મોટા ભાગની ટ્રીટમેન્ટ સમય માગી લે છે, તો થોડી ધીરજ રાખો.

૬. સ્ટ્રેસ અને એકઝામ્સ
ખીલ સ્ટ્રેસ અને ટેન્શન વખતે વધારે થાય છે. ખાસ કરીને એકઝામ્સ વખતે તે વધારે દેખાય છે. અને છોકરાઓમાં તે વધારે દેખાય છે કારણકે તેઓ વધારે સમય ગ્રાઉન્ડમાં વિતાવતા હોય છે.

૭. સ્કીન અને હેર ટ્રીટમેન્ટ માં કાળજી જરૂરી છે
ઘણા ક્રીમ અને લોશન તમારી ત્વચાને નુકશાન કરી શકે છે.ખુબજ હેવી કોસ્મેટીક્સનો વપરાશ ટાળવો જોઈએ.

૮. ચોકલેટ અને તળેલું:
એવી માન્યતા છે કે ચોકલેટ અને તળેલું ખાવાથી ખીલ વધે છે. પરંતુ એવું નથી. તમે ચોકલેટની મજા ખીલની ટેન્શન વગર માણી શકો છો. ખરી વાત તો એ છે કે સારું ડાયેટ તમારું જનરલ દેખાવ સુધારે છે અને એ સારો દેખાવ તમારા ચહેરા અને સ્કીન પર પણ દેખાય છે.

ખીલને લગતા સામાન્ય પ્રશ્નો:૧. મેકપ કરવાથી ખીલ થાય છે?
એવું જરૂરી નથી કે મેકપ કરવાથી ખીલ થાય છે, ખીલ તો હોર્મોન્સની ગરબડીને કારણે થાય છે. પરંતુ જો તમને ખીલ હોય તો તમારે મેકપ કરતી વખતે ઘણી કાળજી રાખવી પડે છે. અને તમારા બ્રશ અને બીજા મેકપના સાધનોને વ્યવસ્થિત સાફ કરી લેવા જોઈએ. અને ઘરે આવીને ચહેરો પણ વ્યવસ્થી સાફ કરી લેવો જોઈએ.

૨. ફેસીઅલ થી ખીલ થાય?
ફેસીઅલ થી ચહેરો તાજગી સભર બને છે, પરંતુ સ્પોટ વધારે ચોળાઈના જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત જો બ્યુટી થેરાપીસ્ટ અનુભવી ન હોય અને આવા સ્પોટની કાળજી ન લેવાય તો ફેસીઅલ જોખમી પણ બની શકે છે.

3. ખીલના ડાઘને કવર કરવા શું વાપરવું?
ફાઉન્ડેશન અને એ પણ ઓઈલ-ફ્રી, અને તે લગાવતા પહેલા હાથ બરાબર સાફ કરી લેવા.


Ayurveda treasure

Glow In The Special Turmeric Paste Of Turmeric Will Forget The Scenes

Picture


Use Turmeric Ayurvedic, phesiyalane also go Forget ..................

Its also an ayurvedic medicinal spice turmeric with valuable medicinal qualities hidden within the great experiment chehaladarana Because of these qualities, it does not cure many diseases in India for centuries, medicinal and spice turmeric experiment made ​​in the form of color for both chevara are haladaranu mixture is put to sport tradition chemanavamam haladaranu ubatana applied to enhance the color not only makes the skin healthy.


Principal susrute used fresh, respiratory disease, coughing and eye disease are believed to be caught being removed from this digestion, kusta and diseases such as diabetes, effective and beneficial for saurdanya this category over the same period karane old haladaranu ubatana is applied to the beauty of the form. That which we call Pithi.

Find out in front of the ancient use of turmeric ...

Mix the butter into small amounts used fresh, well-prepared mixture been this well-placed on the skin in a bath lothoda doadadho hours after the day of the experiment will be to polish the skin and out of your fashion imagination nikharaseje phesiyala you would like a glow.

- Jagdish Manilal Rajpara

Try this - enough to try

Picture

Will control weight - all kinds of citrus fruits such as citrus, oranges and limbu etc. should be consumed. It regulates body weight
On the face to glow - Basin oil and turmeric mixed sarasiyanum thick paste. Twice a week, rub the paste on your face after using. Within a month he could see the glow on your face.
Gathiyana disease remedy worked - at least phetavala deyari products such as milk, dahinu yurika acid consumption is reduced in patients gathiyana
To reduce the pain of menstruation - yogurt cucumber grater metal and savory, sancala, black pepper and cumin powder on. Menses passed consumed will be less pain
To prevent wrinkles -   Egg white and apply on face as part of the regular face wash after sanding. This skin will be tight.

Beneficial melon -   Esidanu phlorika melon is a good source. It is very necessary to keep your hair healthy. So eating watermelon should be plentiful. Adopt other natural Upa - saphedavala not appear that many people use heyaradayano Mahdi should be used instead.

Aksira cure anemia - mulino juice and pomegranate juice should be consumed in equal amounts mixed enimike. This deficiency of blood is removed from the body.

To clean face - lemon are natural bleach. His interest was applied on face and neck is removed from the blackness. These would you prefer, you can mix honey.

In order to control sugar - cucumber (khira) of the regular drinking of blood sugar level is under control. So, passed diabetic should be preferably consumed.

Black Hades to saph - Mix baking soda with water, rub on the nose and chin. Then wash face with clean water. Blekahedsa be removed.

Tips to stop hair loss stage

Picture
Modern stampede Life Hair loss problem is most women but also men are now also being affected. Hair loss in women is most concerned about anything is found and has been touted as a common problem. After bathing in the morning, men and women when exits are a number of hair found caught. When he tormented happen. Loss of hair to different reasons. This success can not be taken care of extremely stampede filled life. Bad eating habits and a healthy life style, and is conducive to hair loss.

What factors are responsible for hair loss problem by taking him to a study process was conducted. Which found that the intake of junk food also plays a role in hair loss. Healthy Hair Healthy diet is the first step in moving toward. Along with regular exercise. Wheat, corn, rice protein containing goods such as food are covered on a regular basis is essential. In addition, the proportion of peas are rich in protein. Skin drink enough water to stay healthy. Anaheldhi jada with the hair.

Hot oil massage helps to strengthen hair. Mathamam one or two hours until the oil becomes useful to keep a thing. This is because hair follicle becomes stronger. Along with the necessary nutritional elements found in hair.

Naliyela, ambala, neem or the use of olive oil may prove beneficial. The third thing, namely to eliminate stress is getting too attached. Meditation, yoga and regular exercise are also made ​​useful. It is very useful as a means of regular transit. And maintain healthy life style is incredibly important it is. According to nisnatonu healthy life style that keeps the overall fit. So enough sleep and should reduce the stampede life. Inadequate sleep is similar to factor in hair loss. In addition to the problem of smoking and alcohol also increases heralosani


Health Care: The benefits of eating raw onions

Picture
Meals are eaten in salads with raw onions are very good for our health. Raw onions which have a sulfur element and essential vitamins that the body eliminates all diseases. Sandwich with raw onions, salad or hook from BHEL etc., can be eaten. If you fear that you brush the eating will take the odor in the mouth. Come to know the benefits of bracing eat raw onions.

Constipation - the resa in adhering to the inside of the abdomen is cut out food. Which the stomach is cleared. If you eat raw onions constipation if not start one.

Eliminates phlegm throat - if you have a cold, cough or throat suffer from salinity or fresh onion juice you drink. It can mix molasses or honey.

Blidingani solves the problem - if there is bleeding from the nose and smells of raw onion cut up. In addition, if you samsya pailsani white onions start to eat you.

Does dayabitisa control - the onion is eaten raw insulina body will produce it. If you're diabetic, if you start to eat it in salads.

True security -   Raw onion High blood pressure is normal blood arteries and opens and closes.

Helps control cholesterol - in which the amino methyl sulfide and the seed, which is pretty bad kelostrolane lowering cholesterol increases.

Inhibits cancer cell growth - Onions are more of sulfur element. Sulphur body, stomach, colon, breast, lung and posteta kensrarathi saves. The problem with urine transition path to end.

Well h of anemia - is chopping onions, tears in the eyes is a trickle. This is caused by sulfur in onions. Enters the body through the nose. The sulfur, which is an oil rests are helpful in bad anemia. When preparing food, the sulfur is burned, so you should eat raw onions.
Related information

Constipation (acidity) Exclude resort

Picture
Constipation is a common problem to be small. Lack of water in the body, food nutrition, lack of exercise, and not because of bad lifestyle thaigayo each person is suffering from constipation. You can get rid of constipation, drink plenty of water and if you upgrade your lifestyle. Here, we adopt the following tips and get rid of constipation

1. fiber foods - binsa, cauliflower, broccoli, tomatoes, carrots, pandalavala vegetables, onions, etc. should eat. Resayukta food is easily digested and also eliminates the problem of constipation. You fruit, bananas, watermelon, lemon, mango, apple and citrus, etc. should eat.

2. Eat less sweets - sugar confection is more pamana. Eat well and not making it ogalati body does not. If you get rid of constipation, you'll have to reduce consumption of desserts.

3. Eat more fluid - even constipation due to lack of fluid in the body disappear. When you drink water when resa in the midst. Drinking water body out of the dirt.

4. limbu warm water and drink it in the morning - morning uthata many people drink so much water. So his belly is OK, but if you drink warm water in your digestive limbu would be appropriate and would not complain of constipation.

5. vasayukta you must not eat the meal - what you pizza, burgers, French paijha or rolls are very selective? Your stomach is never good food then this phaiti can not keep. Foods do not any of these fibers. Eat sprouted grains you eat so soon disappear.

Ayurvedic therapy
First post
  1. Horse gram and jaggery making gruel pumped drinking and ingestion of diarrhea at night is your first post.
  2. Kothe narane morning and night eating seeds and jaggery ingestion of diarrhea is your first post.
  3. Palani 2-3 hours from 8 to 10 Kokum 100 g of water, the sugar and a little cumin drinking, no drugs pumped twice a day for the stop first post .1 grams of pepper powder and ghee, scoring twice in the first post on the lap when eating is your first post.
  4. Navaseka 1 bucket of water 1 to 2 tablespoons of baking soda (soda-by-carbons) pumped from the water bath is your first post.
  5. Pavalibhara seeds by grinding away the same morning with circular narane kothe ​​be swallowed. If you need a night to do so. This is your first post.

Dog bite

  1. If karadyum dog rubbed his ankles in water, asafoetida will benefit.
  2. If karadyum dog on her lap grinding garlic buds, garlic chutneys boiled drinking water and eating more garlic in the diet (seven days doing this) dog poison is destroyed.
  3. If rabid dog karadyum onion juice and honey mixed was applied on the wound and the wound is healed soon toxins are destroyed.
Smallpox
  1. When walking smallpox epidemic of smallpox, tamarind leaves and turmeric drinking cold water does not remain in the danger of aborting.
  2. Kathanum fine powder and turmeric on the wound cold frozen bhabharavavathi benefit.
  3. Coriander and cumin keep soak at night, in the morning, mash, spent washing the eyes with his eyes not leaving smallpox.
  4. When alerted smallpox smallpox poison drinking water with crushed betel-nut fine bruises easily and is less suffering.
  Fever

  1. If any kind of fever for two load of salt in warm water three times a day by taking the fever goes down and then stepped fever in morning and evening for a half load of salt intake for two days the fever does not return.
  2. If any kind of fever, fever, drinking a decoction of mint and ginger go down.
  3. Fever stiff with cold water, putting on the head is reduced to fever and flu seems to mind the heat.
  4. Tulsi and boil them down while making coffee, mint leaves, stripped down, keep it covered 10 minutes after the honey bearing any kind of drinking to cure a fever.
  5. Cut five to ten grams of garlic in sesame oil or ghee Fry bhabharavi eating each type of rock salt to cure fever.
  6. Tulsi leaves and sunflower drink juice all kinds of grinding fever vote.
  7. Onion juice is frequently drink fever flu fever.
  8. Tulsi leaves, mint and honey ginger powder to evenly into the intake flu fever cure.
  9. Crown five grams, four grams of ginger, clove powder to make one gram to two grams of powder, a cup of steaming hot water and stir for 15-20 minutes, then add honey to cure drink flu fever, malaise.
  10. 10 grams 3 grams of coriander and ginger to make a decoction of honey into the drink flu fever cure.
  11. Drinking warm milk powder ganthodanum lick a spoon of honey to cure malaria.
  12. Mint and ginger juice or drinking a decoction to cure fever coming on.
  13. Warm the milk, turmeric and pepper mixed drink to cure malaria.
  14. Tulsi juice of pepper powder and honey drink to cure malaria.
  15. Grind cumin Four times as many malaria drinking water for the night, soaking in the morning narane kothe.
  16. Fresh mint juice mixed with honey drink every two hours for fever pneumonia.
  17. Tulsi, black pepper and lemon juice to a boil jaggery spread of malaria fever is to drink hot.
  18. Basil juice mixed drink 10 grams, 5 grams of ginger juice to cure malaria fever.
  19. To cool the fever after swallowing half gram seeds are soft and sweat Feeling cold and fever are produced.
  20. When malaria fever is vomiting often partially khandela water overnight coriander and grapes, mash, spent a little nauseous is for drinking.
  21. Drinking a decoction of mint and basil are used to cure fever.
  22. Math Math Lentil soup or drink fever is coming on.
  23. Cardamom 3 units and 4 units at night I watered water to keep tabs on exactly grease filter water to drink four times a day for chronic fever.
  24. 10 grams of basil juice, pepper powder 5 g 0 | Typhoid fever is to take a teaspoon honey.
  25. Anise and coriander seeds and sugar to boil down for drinking bile fever.
  26. Coughing due to the fever fever Tulsi juice is taken with honey.
  27. Sanipatana fever may cool the body in order to bring the heat from mustard oil massage is to relax.
  28. Asafoetida and create Kapoor evenly tablet (cup% 8

Cure for hair loss ....

Picture
None kakainum have heard of the name? Ausadharupe its direct use is very low, but to hair disorders such as hair fall, hair bataki, going to be dandruff, alopecia occur, stop hair growth, loss of hair hygiene or hair washing, etc., for we doctors use a special instruction cikakaina give.

Cikakaimam aritha have similar elements, so use it to wash hair arithani be like. Such irritants like soap cikakaimam hair loss and qualities are not arid.

The qualities of cold and greasy hair as smooth as silk making. સાબુમાં રહેલ કોસ્ટિક સોડા તેના દાહક ગુણથી વાળની ઉપર સૂક્ષ્મ ઉઝરડા પાડે છે, જેથી વાળની મજબૂતાઈ ઘટે છે. ચીકાકાઈમાં એક બીજો વિશેષ ગુણ 'જંતુઘ્ન' રહેલો હોવાથી તે માથાની ત્વચાની વિકૃતિઓ જેવી કે ઉંદરી, તપોડિયા, ખોડો, મસા, ખંજવાળ વગેરેને મટાડે છે. સાબુમાં આ ગુણ હોતો નથી. આ ગુણને ધ્યાનમાં રાખીને જ અમે વૈદ્યો તેના ઉપયોગની સલાહ આપીએ છીએ.

દક્ષિણ તેમ જ ઉત્તર ભારતમાં આ ચીકાકાઈનાં વૃક્ષો ઝાડીના રૂપમાં ઊગી નીકળે છે. દક્ષિણ ભારત કરતાં ઉત્તર ભારતમાં થતી ચીકાકાઈની સિંગો ગુણની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાય છે.

ઔષધરૂપે તેની સિંગો અને પાન બંને વપરાય છે. ચીકાકાઈની સિંગોનો સ્વાદ અરીઠા જેવો સહેજ ખાટો, સહેજ કડવો અને વધારે પડતો તીખો હોય છે. ચીકાકાઈનાં પાન આમલી જેવા ખાટા અને રુચિ ઉપજાવનારા છે. ચીકાકાઈમાં બીજા ઘણાં ઔષધોય ગુણો રહેલાં હોય છે. જેવા કે, ચીકાકાઈની સિંગ કફને દૂર કરનાર અને વાયુનું અનુલોમન કરે છે. અનુલોમ એટલે નીચેની ગતિ. ઊલટીઓ કરાવવા પણ માટે ચીકાકાઈની સિંગોનો ઉપયોગ કરવામાં આવે છે. નાડીની ગતિ મંદ પડી ગઈ હોય એ વખતે તેનો ઉપયોગ કરવામાં ચીઆવે તો નાડીની ગતિ ઉત્તેજાઈને તીવ્ર બને છે. તેના ઉપયોગથી મૂત્રપ્રવૃત્તિ વધે છે. તેથી જ વૈદ્યો મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, સોજો અને પથરીના રોગમાં તેને વાપરે છે.

તેનાં પર્ણો ખાટાં હોવાથી આમલીની જગ્યાએ વપરાય છે. તેનાં પર્ણોના ઉપયોગથી યકૃત એટલે કે લીવરની ક્રિયાને ઉત્તેજન મળે છે. તે જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે અને તેનામાં અનુલોમન કરાવવાના ગુણો હોવાથી તે મળ પ્રવૃત્તિ સાફ લાવે છે.

ચીકાકાઈ વિશે વૈદકના પ્રાચીન ગ્રંથો ચરક અને સુશ્રુતમાં તેનો ઉલ્લેખ થયો છે, પરંતુ તેના નામમાં હજુ મતભેદ પ્રવર્તે છે. કોઈ એને સપ્તલા ગણે છે અને કોઈ એને થોરની જાત ગણે છે. આપણે એ મતભેદમાં પડવાની જરૂર નથી.

ચરક-સુશ્રુતમાં તેનો ઉપયોગ વાયુના અને ઉદરના રોગોમાં થયો છે. તે મૂત્રલ એટલે કે મૂત્ર પ્રવૃત્તિ વધારનાર અને મળનું સંશોધન કરનાર છે. પિત્તના કોઠાવાળા અથવા મૃદુ કોષ્ટવાળા તેના મૂળને સૂંઘે તો પણ રેચ લાગી જાય છે.

અરીઠાની જગ્યાએ માથાના વાળ સાફ કરવા માટે ચીકાકાઈ વપરાય છે. ચીકાકાઈનો સાબુ પણ બજારમાં મળે છે, પરંતુ સૌથી ઉત્તમ ઉપયોગ તો તેનો ઉકાળો બનાવીને વાપરવાનો ગણાવાય છે.

તેની સિંગોના ભૂકાનો ક્વાથ-ઉકાળો બનાવી સ્નાન કરવાથી માથાના વાળ સ્વચ્છ, સુંવાળા અને લાંબા બને છે. તેના ઉપયોગથી માથાનો ખોડો, જૂ, લીખ, ઉંદરી, ખરજવું વગેરે દૂર થાય છે. ખોડાને જડમૂળથી મટાડવા માટે તેનો નિયમિત ઉપયોગ હિતાવહ છે.

તેનો ઉકાળો બનાવવાની રીત આ મુજબ છે. આશરે ચાર ગ્લાસ પાણીમાં ૫૦ ગ્રામ ચીકાકાઈની સિંગોનો અધકચરો ભૂકો નાખી તેને ઉકાળો. ઉકાળતા જ્યારે પાણી બરાબર ઊકળે એટલે તેને નીચે ઉતારી ઠંડું પાડો. પછી આ ઉકાળાથી સ્નાન કરતી વખતે માથાના વાળ ધોવા. આ ઉકાળાથી જાણે સાબુથી માથું ધોતા હોઈએ એવા ફીણ વળે છે.

એક બીજો ઉપયોગ
ચીકાકાઈનાં પાન વાટી, મરીના ચૂર્ણ સાથે આપવાથી કમળો અને લીવરના રોગો મટે છે, તે પિત્તનું વિરેચન કરાવે છે. તેથી કમળાના દર્દીને ચીકાકાઈનાં પાન હિતાવહ છે. કારણ કમળામાં પિત્તના માર્ગોમાં સોજો આવવાથી તે બહાર પાચનતંત્રમાં આવી શકતું નથી અને તે અવરુદ્ધ થયેલું પિત્ત લોહી સાથે ભળવાથી કમળાના દર્દીની આંખ, નખ, જીભ, ત્વચા વગેરે પીળા પડી જાય છે. આમ ચીકાકાઈ પિત્તનું વિરેચન કરાવતું હોવાથી કમળાના દર્દીને માટે હિતાવહ છે. (ઉપયોગમાં માત્ર પાન જ લેવા). મર્હિષ ચરકે તેનો વિરેચન દ્રવ્યોમાં ઉલ્લેખ કર્યો છે. સુશ્રુતમાં તેનો અનેક રોગોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલો છે.

સંગ્રહણી જેવા કષ્ટસાધ્ય રોગોમાં તેનો ક્ષાર દ્યૃતનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે.

ખીલ, ખરજવું, દાદર અને ત્વચાના રોગોમાં તેનો ક્ષારદ્યૃતનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે.

ખીલ, ખરજવું, દાદર અને ત્વચાના રોગોમાં તેનો ઉપયોગ સ્નાનમાં કરવો એ વધારે હિતાવહ ગણાય.



કષ્ટદાયક કમરનો દુખાવો દુર કરશે આ આયુર્વેદિક ઉપચાર
આયુર્વેદ પ્રમાણે વાયુ વિના પીડા થતી નથી. શૂળનું મૂળ કારણ વાયુનો પ્રકોપ હોય છે. સામાન્ય રીતે વાત પ્રકોપ આહારનું સેવન કરવાથી વાયુ પ્રકોપ પામી જ્યારે કટપિ્રદેશમાં સ્થિર થાય છે ત્યારે રસવહ સ્ત્રોતનો અવરોધ થાય છે અને પ્રકૃપિત વાયુ કમરમાં વેદના ઉત્પન્ન કરે છે, જે અસહ્ય હોય છે. વાતપ્રકોપ આહારના સેવનથી, શક્તિથી વધુ શ્રમ કરવાથી, વારંવાર વમન વિરેચન લેવાથી, શરીરમાં માર વાગવાથી, અધિક ભયભીત થવાથી તથા રાત્રિના ત્રીજા પ્રહરમાં વાયુનો પ્રકોપ થાય તેવા સમયે ભોજન લેવાથી પણ વ્યક્તિ કમરના દુખાવાનો ભોગ બને છે. તેમાંથી છુટકારો મેળવતા ઇલાજને કટિબસ્તિ કહે છે.

*ચિકિત્સા


- રોગીને સ્નેહન તેમજ સ્વેદન કરાવવું જોઇએ.
- સ્નેહન માટે ક્ષીરબલા તેલ, મહાનારાયણ તેલ કે વિષગર્ભ તેલનો પ્રયોગ કરવો જોઇએ.
- સમ્યક પ્રકારે સ્નેહન કરાવવું જોઇએ. સ્વેદન માટે દશમુલ કવાથથી બાષ્પસ્વેદ આપી સ્વેદન કરાવવું.
- કટિપ્રદેશમાં તેલ વડે અભ્યંગ કરી નિરગુન્ડીનાં પાન દ્વારા પત્રપિંડ સ્વેદન કરાવવું જોઇએ.
કટિબસ્તિ પ્રયોગ કરવો જોઇએ. કટિપ્રદેશમાં અડદના લોટની દીવાલ બનાવી તેમાં થોડું થોડું સુખોષ્ણ એટલે સહી શકાય તેવું ક્ષીરબલા તેલ ભરી દેવું જોઇએ.

થોડા સમય સુધી તેલ ભરી રાખવું જોઇએ. ત્યારબાદ ઠંડું પડ્યા પછી તેલ કાઢી ફરી સુખોષ્ણ તેલ ભરવું જોઇએ. એક કલાક સુધી આ પ્રક્રિયા કરવી જોઇએ. થોડા દિવસોમાં કટપિ્રદેશમાં
પ્રકૃપિત વાયુનું શમન થઇ કમરનો દુખાવો શાંત થાય છે.

*ઔષધોપચાર


- અશ્વગંધા ચૂર્ણ ૩ થી ૬ ગ્રામની માત્રામાં ૧ ગોળી વિષતિન્દુકવટી મેળવી દૂધ સાથે આપવી.
- આરોગ્યવધિર્ની, વાતાગજાંકુશ અથવા મહાવાતવિધ્વંસકરસ, વાતગજેન્દ્રસિંહ ત્રણે ૨ રતિની માત્રામાં લઇ દિવસમાં ૩ વાર મધ સાથે આપવું.
- મહાયોગરાજ ગૂગળની ૧ ગોળી મહારાસ્નાદિ કવાથ સાથે આપવી.
- અશ્વગંધારિષ્ટ, બલારિષ્ટ, દશમુલારિષ્ટ ૨-૨ ચમચી લઇ તેમાં સમાન ભાગે પાણી ઉમેરી આપવું જોઇએ.

*આહાર-વિહાર
કમરના દુખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવવા ખાવા-પીવામાં પણ થોડી કાળજી લેવી જરૂરી છે. તો શું ખાવું? શું ન ખાવું? અને શું ન કરવું જોઇએ એ અંગે થોડું જાણીએ.

*શું ન ખાવું?:
કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.

*શું ન કરવું?:
ઉજાગરા ન કરવા જોઇએ. મળ-મૂત્ર-સ્વેદ-છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજિયાત ન થવા દેવી, ચિંતા-ભય-ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.

*શું ખાવું?:
સાદો-સુપાચ્ય આહાર લેવો. વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો.

વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે. તેમાંથી છુટકારો મેળવવાના ઇલાજને કટિબસ્તિ કહે છે.

સંધી વા માટે ના આયુર્વેદિક ઉપચાર (Rheumatoid Arthritis) aamavata

સંધી વા ને 100% મટાડવા માટે કોઈ ઉપચાર નથી
પરંતુ આપને તેની અસર ઘટાડી શકીએ છીએ . તેમજ તેને આગળ વધતું અટકાવી શકીએ છીએ.
મારા અમુક સંસોધન થી આ માહિતી મને મળેલ છે જે હું અહીં આપની સાથે share કરું છુ .


1. મુખ્ય દવા
  • લસણ
  • આદુ (સુંઠ )
  • ભાલ્લાતક (bhallatak )
  • કળા મરી (Pippali )
  • હિંગ
  • જેઠીમધ
2. ખોરાક
ખોરાક માં શું લેવું
  • જવ , કળથી , ચોખા
  • સરગવો , સતોડી , આદું , કારેલા ,પરવર, લસણ, પીવા માટે ગરમ પાણી.
ખોરાક માં શું નહિ લેવું
  • મીઠાઈ , ગોળ
  • અડધ તેમજ અડધ દાળ
  • બહાર નું તેમજ કાચું ખાવાનું
  • મરચા વારુ, તરેલુ , વધારે મીઠાવાળું ખોરાક ના લેવો
  • દહીં, દૂધ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ઠંડુ પાણી
3. દિનચર્યા
શું કરવું
  • પ્રાણાયામ , યોગા, ધ્યાન
શું ના કરવું
  • દિવસ દરમિયાન સુવાનું ટાળવું
  • રાત્રે મોડે સુધી ઉજાગરા ના કરવા
  • ઠંડા વાતાવરણ થી દુર રહેવું (એર કંડીશનર નો ઉપયોગ ટાળવો )
  • ખોટી ચિંતા થી દુર રહેવું
  • પીવા ને નહાવા માટે ગરમ પાણી નો ઉપયોગ કરવો
  • વિરોધી ખોરાક ના લેવો
4. આયુર્વેદિક સારવાર
  • હળદર - તાજી હળદર ની ગાંઠ ના તેલ ની માલીશ કરવી
  • હિંગ - હિંગ ને નાળીયેલ ના તેલ સાથે અથવા તો આદું ને જીણું વાટી ને તેની જોડે હિંગ મેળવી ને દુખતા ભાગ પર લાગવાથી દુખાવા માં રાહત રહે છે
  • લસણ - લસણ ને સાંજે છાસ માં પલાળી સવારે તેના અંકુર ને નીકળી ને સાદા પાણી થી ધોઈ નાખવું , ત્યાર બાદ તેને ગરમ પાણી જોડે સવારે ખાલી પેટે 1 થી 2 ચમચી જીણું ચાવી ને લેવાથી રાહત થાય છે .
  • આદું - આદું ને ખોરાક માં તેમજ તેની ક્રીમ દુખાવા ની જગ્યા એ લાગવા થી રાહત થાય છે .
  • જેઠીમધ - જેઠીમધ ના 1 નાના ટુકડા ને જીણું ચાવી ને ખાવા થી રાહત થાય છે
5. અમુક આયુર્વેદિક દવાઓ પણ માર્કેટ માં મળે છે
  • Mahayogaraja Guggulu tablet
  • Sahacharadi Oil
  • Vishagerbha Oil
  • Kashirabala Oil
  • Dhanvantara Oil

ખાસ નોંધ : આયુર્વેદિક દવાઓ શરીર ની તાસીર પર પણ આધાર રાખે છે એટલે જે અમુક દવાની આપને એલેર્જી હોય તો તેનો ફેરફાર કોઈ પણ આયુર્વેદિક તજજ્ઞ ના સુચન મુજબ કરી શકો છો .

દરરોજ 2 પલાળેલી બદામ ખાઓ, પછી જુઓ
 
જો તમે વિચારતા હોવ કે બદામ ખાવાથી ફક્ત તમારી યાદશક્તિ જ વધે છે તો જરાં તેના અન્ય ફાયદાઓ પણ વાચી લેજો...

દરરોજ રાત્રે બે બદામ માટલાના પાણીમાં પલાળી લો અને સવારે નયણાકોઠે તે ખાઈ લો પાણી પણ પી જાઓ. તેની ન ફક્ત યાદશક્તિ વધશે પણ આટલા ફાયદા પણ થશે.

-બદામ તમને સુંદર પણ બનાવે છે તે ત્વચાને કોમળ બનાવે છે
-ડાયાબીટિઝના દર્દીઓ માટે પણ બદામ ખાવી હિતાવહ છે.
-હ્રદય રોગના ખતરાને પણ ઓછુ કરે છે બદામ
-દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે
-તેમજ પલાળેલી બદામ યાદશક્તિ પણ વધારે છે.
-એટલું જ નહીં તે આંખો પણ તેજ કરે છે.

કબજિયાત,બ્લડપ્રેશર,કેન્સર..દરેક માટે રામબાણ છે આ ઉપાય


પોતાના ડેઇલી રૂટિનમાં બીટનો સમાવેશ કરવો એ તંદુરસ્તી માટે કોઇ વરદાનથી ઓછું નથી . તેનાં નિયમિત સેવનથી સંપુર્ણ શરીરને નીરોગી રાખવામાં અત્યંત મદદરૂપ નીવડશે. જો કે હાલનાં આપણાં દૈનિક આહારમાં આપણે બીટને યોગ્ય સ્થાન આપ્યું નથી. પરંતુ તેને નિયમિત ખાવાથી ઘણાં રોગોમાં લાભ થાય છે.

બીટ પોતાનાં અદભુત ગુણોને કારણે લાજવાબ તો છે પરંતુ તેનાથી પણ વધીને તેની વિશેષતા એ છે કે તે ઘણી ગંભીર બીમારીઓને નષ્ટ કરી નાખવામાં અસરકારક ભુમિકા ભજવે છે. આવો, જાણો આ કીંમતી વિશેષતાઓનો ખજાનો બીટ એ કઇ –કઇ બીમારીઓને મટાડે છે.

1. એસીડોસિસ : બીટમાં રહેલા ક્ષારની વિશેષતા એ છે કે જે શરીરમાંના એસીડોસિસને રોકવામાં અત્યંત સહાયક ભુમિકા ભજવે છે.

2 લોહીની ઉણપ (એનીમિયા) : બીટમાંથી મળતા ઉચ્ચ ગુણવત્તાનું લોહ તત્વ લોહીમાં હિમગ્લોબીનનાં નિર્માણમાં અને લાલ રક્તકણોની સક્રિયતા માટે અત્યંત પ્રભાવશાળી અસર દેખાડે છે

3.બ્લડ પ્રેશર : વિશેષજ્ઞોનું માનવું છે કે બીટનાં રસનું નિયમિત સેવન લોહીનાં દબાણને નિયંત્રિત રાખે છે. ઊંચા લોહીનાં દબાણને ઓછું કરવામાં પણ બીટ અત્યંત ગુણકારી છે.

4 કબજિયાત : બીટનાં મુલાયમ રેસાઓ આંતરડાની ગતિને જાળવી રાખે છે. તેનાં નિયમિત રૂપે ખાવામાં આવે તો લાંબા સમય સુધી ચાલી આવતી કબજિયાતથી મુક્તિ મળે છે.

5 લોહી કણિકાઓમાં આવતું સંકોચન   : બીટનાં રસનું નિયમિત સેવન લોહીની નળીઓમાં કેલ્શિયમનાં બ્લોકને હટાવીને તેને લચીલું રાખે છે, જેનાથી સુગમતાથી લોહી સંચાર થાય છે.

6 . કેન્સરથી બચાવ : બીટમાંથી મળતા એમિનો એસીડમાં કેન્સર વિરોધી તત્વ મળે છે.શોધ અભ્યાસમાં પણ પ્રતિપાદિત થયું છે કે બીટનાં રસનાં નિયમિત સેવનથી કેન્સરકારક તત્વોનાં નિર્માણને રોકીને પાચનક્ષમતાની કાર્યક્ષમતા વધારે છે.

7. ઝેરી તત્વોને બહાર ફેંકવા
: બીટનાં રસનાં નિયમિત સેવનથી ઝેરીલા તત્વોને બહાર નીકાળે છે તે પણ માત્ર યકૃતનાં જ નહિ પણ સંપુર્ણ પાચન તંત્રનાં હાનિકારક તત્વોને શરીરથી બહાર નીકાળીને આરોગ્ય પ્રદાન કરે છે.બીટની સાથે જો ગાજર પણ લેવામાં આવે તો તે પિત્તાશય અને વૃકક્થી હાનિકારક દ્રવ્યોને હટાવીને આ અંગોની કાર્યક્ષમતા વધારે છે.

વિશેષ :
જમવામાં પત્તાવાળાં બીટનો જ ઉપયોગ કરો.પત્તાં સાથે બીટને 3- 4 દિવસમાં રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવાં પર તેમનાં પાનની નરમાશ બની રહે છે, જ્યારે પત્તા વગરનાં બીટને લગભગ 2 અઠવાડિયાં સુધી સંગ્રહ કરી શકાય છે.જે બીટનો નીચેનો ભાગ ગોળ હોય, તે બીજાથી વધારે સ્વાદિષ્ટ હોય છે. તાજા અને કાચા બીટમાં એક વિશેષ સુગંધ હોય છે, જે તેનાં સ્વાદને વધારે છે.

                                            દાદીમાનો ડાબલો
  • -બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
  • -એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું (મેદસ્વીપણું) મટે છે. આ ઉપરાંત પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ, વીસ તોલા સહેજ ગરમપાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી પણ એક-બે મહિનામાં જાડાપણું મટે છે.
  • -લૂ લાગી હોય તો કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે.
  • -લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
  • -2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ સાથે અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
  • -મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.
  • -રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જળમૂળમાંથી મટે છે. બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. હળદળ અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  • -વાળ ખરતાં હોય તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિં. ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાંખી ઉકાળીએ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકદાર બને છે.
  • -1 થી 2 ગ્રામ જેટલો ખાવાનો સોડા ઘાણાજીરાંનાં ચૂર્ણમાં અથવા સૂદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે. તુલસીનાં પાન દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
  • -લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચિ અને મંદાગ્નિ મટે છે. રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે. ભૂખ ન લાગતી હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.

દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચારો
આપણામાંના ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે. નીચે મુજબનાં સૂચનો દ્રારા તમને દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચાર માટે કેવી રીતે અને શું કરવું તેની માહિતી મળશે.

  • -લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું.
  • -સરસવનું તેલ એ દાંતનો દુખાવો ઓછો કરવાનો અન્ય એક વિકલ્પ છે. સરસવનાં તેલને ચપટી મીઠાં સાથે મિશ્ર કરી પેઢાંનાં દુખતાં ભાગ પર ઘસવું જોઈએ.
  • -લીબુંનાં રસનાં ઉપયોગથી પણ દાંતનો દુખાવો ઓછો કરી શકાય છે.
  • -તાજી કાપેલી ડુંગળીનાં કટકાને દુખતાં પેઢાં અથવા દાંત પર મુકવાથી પણ દુખાવામાં રાહત થાય છે.
  • -આપ દાંતનાં દુખાવા માટે ઘરે બનાવી શકાય તેવો માઉથવોશ સ્થાનિક વનસ્પતિઓ જેવી કે ઝેરગુલ, હીરાબોલ વગેરેનો ઉપયોગ કરી બનાવી શકો છો. આ ઉપરાંત અન્ય ઔષધિય વનસ્પતિઓમાં તુલસી, વન તુલસી અને હિંગનો સમાવેશ થાય છે.
  • -સૂકા બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને શાંત પાડી શકાય છે.
  • -જો તમે અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો તમારે અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.
  • -ખાવાપીવાની બાબતોની કાળજી રાખવી જોઈએ તથા ખાવામાં મોટેભાગે શાકભાજી, ફળો તથા અનાજનો ઉપયોગ કરવો જોઈએ. જંકફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.


આયુર્વેદિક દવા છે લીમડો : કડવા લીમડાનાં મીઠા ગુણ

Picture





કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે. જાણીએ ગુણકારી લીમડાના રસના ફાયદા...

લીમડાનો રસ પીવાના ફાયદા -


1. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.

2. લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.

3. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.

4. આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે.

5. લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.

6. શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.

7. લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.

ચૂર્ણ બનાવવાની રીત,નામો તથા તેના આયુર્વેદિક ગુણ કર્મ - આયુર્વેદિક ઉપચાર

Picture

ચૂર્ણ બનાવવાની પદ્ધતિ


સૂકાયેલ ઔષધીના દ્રવ્ય લઇ તેને બરોબર જીણું ખાંડી વસ્ત્ર ગાળન કરવું એટલે ચૂર્ણ તૈયાર થાય છે ,

આયુર્વેદ ગ્રંથોમાં ચૂર્ણની માત્રા મોટા લોકોને છ માસાથી એક તોલા સુધી અને નાના બાળકોને એક માસાથી ત્રણ માસા સુધી લેવાની કહી છે , પરંતુ હાલ સમય અનુસાર મોટી માત્રા કોઈ સહી સકતા નથી , તેથી પોતાના કોઠા પ્રમાણે ચૂર્ણની યોગ્ય માત્રા જોઈ વિચારી લેવી જોઈએ , જેથી ટાઇમે પાચન થઇ જાય ,

ચૂર્ણમાં ગોળ ઉપયોગ કરવો હોઈતો સમભાગે નાખવો જોઈએ , સાકર નાખવી હોઈ તો બમણી લેવી જોઈએ , ચૂર્ણને ભાવના દેવી હોયતો કાઢો અથવા લીબું રસ વગેરે પ્રવાહી ચૂર્ણ ભીજાય તેટલું લેવું જોઈએ ,


ચૂર્ણના નામો તથા તેના આયુર્વેદિક ગુણ કર્મ

નિમ્બાદિ ચૂર્ણ અને તેના ગુણો , -
નુક્રમે દશ ભાગ લીબડાના પાંદડા , ત્રણ ભાગ હરડા , બહેડા તથા આમળા , ત્રણ ભાગ શુંઠ , મરી તથા પીપર , પાચ ભાગ અજમો , ત્રણ ભાગ સિંધવ , બીડલુંણ તથા સંચળ , અને બે ભાગ જવખારનુ ચૂર્ણ એકઠું કરી માણસે પ્રાતઃ કાળે ખાવું , આ ચૂર્ણ દરરોજ નો તાવ , એક આતરીઓ તાવ , વચમાં બે દિવસ છોડી દઈ ત્રીજા દિવસે આવતો તાવ -મહાધોર ચાતુર્થીક તાવ , સાત દશ કે બાર દિવસ સુધી એક સરખો રહેનારો સંતત નામનો તાવ અને આખા દિવસરાતમાં એકંદર બે વખત આવતો સતત નામનો તાવ - આ બધા ધાતુઓમાં રહેનારા તથા ત્રણે દોષથી થતા પાંચે વિષમજવરોનો અવશ્ય નાશ કરે છે ,

સુદર્શન ચૂર્ણ અને તેના ગુણો

મિત્રો આ સુદર્શન ચૂર્ણની માહિતી લોકો સુધી પહોચે તે માટે પંડિત ભાવમિશ્ર -વિરચિત ભાવપ્રકાશ આયુર્વેદિક ગ્રંથ માંથી લેવામાં આવી છે ,

ભાવમિશ્ર ૧૬ સોળમી સદીના અંતમાં કનોજ દેશમાં જનમ્યા હતા , તેવો સંસ્કૃત શાસ્ત્ર તથા આયુર્વેદના મહાન પંડીત હતા , તેમના સમયમાં તેવો આયુર્વેદ વિક્ષાનમાં શિરોમણી ગણાતા હતા ,

રાજવૈદ પ્રભાશંકરભાઈ ગઢડાવાળાની દોરવણી નીચે શ્રી ગીરીજાશંકર શાસ્ત્રી પાસે અનુવાદ કરાવી ઈ .સ . ૧૯૫૫ માં આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે. અમદાવાદ મુંબઈ દ્રારા બે ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ,

આ સુદર્શન ચૂર્ણની ફોર્મુલા તથા ઉપયોગીતાની માહિતી ભાવ પ્રકાશ આયુર્વેદિક ગ્રંથમાંથી લોકો સુધી પહોચાડવા માટે લેવામાં આવેલી છે ,

અગત્યની સુચના - સુદર્શન ચૂર્ણની ફોર્મુલા તથા ઉપયોગીતા લોકોની જાણ માટે છે , જે આયુર્વેદ તથા ઔષધિઓના ગુણ તથા રોગના વિષે જાણતા ના હોય તેવા લોકોએ આ સુદર્શન ચૂર્ણનો ઉપયોગ સીધો કરવો નહિ , ડોક્ટર કે વૈધની સલાહ લઇ આ ચૂર્ણનો ઉપયોગ કરવો ,

આ ભાવપ્રકાશમાં બતાવેલ ફોર્મુલા દ્રારા બનેલ સુદર્શન ચૂર્ણ જ નીચે બતાવેલ રોગોમાં કામ આપે છે , આ સુદર્શન ચૂર્ણની ઉપયોગીતા વૈધોએ તથા દર્દીઓ એ સારી રીતે અનુભવેલી છે , જાણે છે ,

હરડા,બહેડા , આમળા ,હળદર , દારૂ હળદર , મોટા ફળવાળી ભોરીગણી, નાના ફળવાળી ભોરીગણી, કચૂરો , શુંઠ, મરી,પીપર , પીપરીમૂળ , મોરવેલ , ગળો ,ધમાસો ,કડું, ખડસલીઓ પિત્ત પાપડો , મોથ , ત્રાયમાણ , વાળો , લીંબડો , એરડાના મૂળ , જેઠીમધ ,કડાસાલ , અજમો , ઇદ્રયવ , ભારંગી સરગવાના બીજ ,ફટકડી , વજ , તજ, પદ્મકાષ્ટ , કાળો -વિરણ મૂળ - વાળો , સુખડ , અતિવિષની કળી, નાગબલા , મોટો સમેરાવો , ગંધી સમેરાવો , વાવડીગ , તગર, ચિત્રો , દેવદાર , ચવક , તમાલ પત્ર , કડવી પંટોળી, જીવક [અપ્રસિદ્ધ છે ] ,ઋષભક [અપ્રસિદ્ધ છે ],લવિંગ , વંશલોચન , ધોળું કમળ , કાકોલીના પાંદડા [અપ્રસિદ્ધ છે ], જાવંત્રી , અને તાલીશ પત્ર એટલા ઔષધ સમભાગે લઇ તેઓનું ચૂર્ણ કરવું , તેમાં એ સંધળા ચૂર્ણના અરધા ભાગના વજને કરીયાતાનું ચૂર્ણ નાખવું , તેથી સુદર્શન ચૂર્ણ તૈયાર થાય છે ,

સુદર્શન નામનું આ ચૂર્ણ ત્રણેય દોષને મટાડે છે અને સધળા જવરોને પણ અવશ્ય મટાડે છે , એમાં વિચારવા જેવું નથી , દોષોથી થયેલા કે લાગવું વગેરેથી થયેલા તાવ , ધાતુઓમાં રહેલા વિષમ જવરો ,સન્નીપાતથી થયેલા જવરો , મનની પીડા સબંધી જવરો , શીત આદિ, દાહ આદિ , પ્રમેહ , ધેન ,ભ્રમ , તરસ , ઉધરસ , શ્વાસ , પાંડુરોગ , હદયના રોગ , કમળો , કેડના પાસલા ભાગનું શુળ, પીઠનું શુળ , ગોઠણનું શુળ , અને પડખાનું શુળ પણ મટાડે છે , સધળા પ્રકારના તાવને મટાડવા આ ચૂર્ણને ટાઢા પાણી સાથે પીવું , જેમ વિષ્ણુનું સુદર્શન ચક્ર દાનવનો નાશ કરે છે , તેમ આ સુદર્શન ચૂર્ણ સધળા પ્રકારના તાવનો નાશ કરે છે ,

યૌવન ચૂર્ણ
દ્રવ્યો } હરડે , બહેડાં , આમળાં , તજ , જેઠી મધ , મહુડાના ફૂલ . આ બધા એક એક ગ્રામ લઇ ચૂર્ણ કરવું

અનુપાન } એક ચમચી મધ અને અડધી ચમચી ઘી સાથે લેવાય.

ક્યારોગ પર અસરકારક } હરસ , ભગંદર , ડાયાબિટીસ , આંખના રોગ પર અસરકારક

.
    ત્રિફળા ચૂર્ણ દ્રવ્યો } હરડે ૧ ગ્રામ , બહેડા ૨ ગ્રામ અને આમલા ૪ ગ્રામ લઇ તેનું ચૂર્ણ બનાવો .

અનુપાન } આ ચૂર્ણને અડધી ચમચી ઘી અને એક ચમચી મધ સાથે લેવું.

ક્યા રોગ પર અસર } તાવ , કફ

Comments

Popular posts from this blog

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે...   બહુચર-

SBI ATM Card Application Form - State Bank of India

How to Convert Numbers to Words in Excel

How to Convert Numbers to Words in Excel format Cell _(#,##0.00_);[Red](#,##0.00) = CHOOSE(LEFT(TEXT(B3,"000000000000.00"))+1,,"One ","Two ","Three ","Four ","Five ","Six ","Seven ","Eight ","Nine ")&IF(--LEFT(TEXT(B3,"000000000000.00"))=0, ,IF(AND(--MID(TEXT(B3,"000000000000.00"),2,1)=0,--MID(TEXT(B3,"000000000000.00"),3,1)=0),"Hundred ","Hundred and "))&CHOOSE(MID(TEXT(B3,"000000000000.00"),2,1)+1,,,"Twenty ","Thirty ","Forty ","Fifty ","Sixty ","Seventy ","Eighty ","Ninety ")&IF(--MID(TEXT(B3,"000000000000.00"),2,1)<>1,CHOOSE(MID(TEXT(B3,"000000000000.00"),3,1)+1,,"One ","Two ","Three ","Four ","Five ","Six ","Seven ","Eight ",&quo