Skip to main content

Posts

Showing posts from March, 2022

સંસારનું સર્વોચ્ચ અને સર્વાધિક સુખ

👉 " સંસારનું સર્વોચ્ચ અને સર્વાધિક સુખ પુરુષોને સ્ત્રીઓથી પ્રાપ્ત થાય છે. અને સર્વાધિક દુ:ખ પણ સ્ત્રીઓથી જ થાય છે. કઇ સ્ત્રી કોને કેટલું સુખ કે દુ:ખ આપશે તે પ્રથમથી નક્કી કરી શકાતું નથી. નીવડે જ ખબર પડતી હોય છે. પણ નીવડવામાં સમય લાગે.મહિનાઓ અને વર્ષો પણ લાગે.  મારી દ્રષ્ટિએ પત્નીઓના ચાર પ્રકાર છે.  (1) અનુગામીની  - અનુગામીની પત્ની તે છે જે પતિના પગલે પગલે પાછળ-પાછળ ચાલ્યા કરે. પગલે પગલેનો સ્થુળ અર્થ કરવાનો નહિ. પણ આજ્ઞા પ્રમાણે ચાલનારી સ્ત્રી.પતિની આજ્ઞા એ જ જીવનમાર્ગ.  (2) સહગામિની. - બીજી પત્ની સહગામિની હોય છે. તે સાથે ને સાથે ચાલે છે. સુખમાં-દુ:ખમાં પુરેપૂરો સાથ આપે છે. તે મિત્રભાવથી વર્તે છે. પતિ મિત્ર છે અને હું તેની મિત્ર છું.  (3) અગ્રગામિની  - કેટલીક પત્નીઓ પતિથી આગળ ચાલે છે. તેનામાં બૌદ્ધિક અને બીજી ક્ષમતાઓ પતિ કરતાં ઘણી વધારે હોય છે, તેથી તે આગળ આગળ ચાલતી રહે છે. બધા મહત્વના નિર્ણયો તે કરે છે. ઘરમાં તે સર્વોપરી હોય છે.  (4) પ્રતિગામિની  - કેટલીક પત્નીઓ પ્રતિગામિની હોય છે. પતિની દિશાથી ઊંધી દિશામાં ચાલનારી. આવી પત્ની, પતિને દુશ્મન જેવો ગણે છે. આવી સ્ત્રીનો પતિ કદી પણ સુખ

મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય વિરચિત શ્રીમદ્ ભાગવત સુબોધિની

*મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય વિરચિત શ્રીમદ્ ભાગવત સુબોધિની*  *દશમ સ્કન્ધ જન્મ પ્રકરણ*   *અધ્યાય: ૧ થી ૪ અધ્યાય ૪ શ્રી કૃષ્ણના પ્રાક્ત્યનું કારણ* સિદ્ધાંત : નહિસાપેક્ષરૂ પસ્ય પ્રથમં સુનિરૂ પણમ્ ।। નવલક્ષણસાપેક્ષો હ્યાશ્રયો રૂપ્યતે કથમ્ ? ।।કા.૭ || (બીજાની) અપેક્ષાવાળાનું પહેલાં સારી રીતે નિરૂપણ થઈ શકે નહિ, તેથી નવ લક્ષણોની અપેક્ષાવાળા આશ્રયનું (દશમા સ્કંધમાં) નિરૂપણ કેવી રીતે હોઈ શકે ? કા.૭. (શ્રીમદ્ભાગવત ૨।૧૦।૧માં સર્ગ વિસર્ગ વિગેરે દશ લીલાઓ કહેલી છે તે પૈકી) સર્ગ, વિસર્ગ વિગેરે પહેલી નવ લીલાની અપેક્ષા આશ્રયને રહે છે. તેથી પહેલાં સર્ગ, વિસર્ગ વિગેરે નવનું નિરૂપણ કર્યા વિના આશ્રયનું નિરૂપણ સારી રીતે થઈ શકે નહિ. તેથી એ નવનું નિરૂપણ થયા પહેલાં, એ નવેની અપેક્ષાવાળા આશ્રયનું નિરૂપણ કેવી રીતે હોઈ શકે ? (ન જ હોઈ શકે.) (કા) અગ્રે લીલાદ્વયકથા ફલસિદ્ધૌ વૃથા ભવેત્ ।। પૂર્વોત્તરસ્કન્ધયોચ્શ્ર નશ્યેત્ કારણકાર્યતા ।।કા.૮ ।। *આગળ* ફલ પ્રાપ્તિ થતાં આગળ બે લીલાઓની કથા નકામી થાય. પહેલાંના અને પછીના સ્કંધોનાં કારણ અને કાર્યના ભાવનો નાશ થાય. કા. ૮. શરીર રહિત વિષ્ણુ પુરુષનું શરીર ગ્રહણ કરે તે સર્ગ. પુરુષમાંથી

છાસ એક સંપૂર્ણ પીણું

*છાસ એક સંપૂર્ણ પીણું*             આયુર્વેદ માં છાસ ની તુલના અમ્રુત સાથે કરવામાં આવી છે. શરીરમાં રહેલા ઘાતકી તત્વો ને મુત્ર દ્વારા શરીરમાંથી બારે કાઢવાની શક્તિ એકમાત્ર છાસમાં છે તો છાસનુ સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે.      એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો લગાતાર ત્રણ દિવસ એકમાત્ર છાસ ને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે. વધારાની ચરબી ઉતારી જાય છે. ચેહરા પરના દાગ નિકળી જાય છે સાથે સાથે ચમક પણ આવે છે.     છાસમાં વિટામિન બી-12, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે જે પેટ સાફ રાખે છે તથા પેટમાં થતો ગડગડાટ મટાડે છે. શરીરનું તાપમાન ને કંટ્રોલ માં રાખે છે જેથી સરસ નિદ્રા આવે છે.     *છાસનુ સેવન કરવાથી નિમ્નલિખિત દસ લાભ મળે છે.* 1) મોટાપો ઘટે છે. 2) વારંવાર પેશાબ ની તકલીફ વાળાઓ માટે માપસર નમક વાળી છાસ લાભદાયક છે. 3) છાસનુ સેવન મો માં પડતાં ચાંદા ને મટાડે છે.  4) છાસમાં કુટેલો અજમો નાખીને પીવાથી પેટમાં નાં જન્તુઓ નો નાશ થાય છે. દવાઓ લેવી નથી પડતી. 5) છાસમાં દેશી ગોળ નાખી ને પીવાથી પેશાબમાં થતી બળતરા મટે છે. 6) છાસમાં જાયફળ નો ચપટી

શ્રીમદ્ ભાગવત રહસ્ય

👏🌄🌻"📕"🌷 🌹 *શ્રીમદ્ ભાગવત રહસ્ય:* (પેજ:*22*) *🌺🍁🌸પ્રથમ સ્કંધ*:-- ☘️🍀☘️🛕☘️🍀☘️ શ્રી કૃષ્ણ: શરણં મમ🦚 [[ *શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે, દર્શન કરતાં તૃપ્તિ થતી નથી*. ---- *પરમાત્મા ની કથા વારંવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે*.]]                                                  ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહિ પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધાં કાર્ય કરો. કરોડ કામ છોડીને પહેલું ભગવત સ્મરણ કરવું. કળિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે ન કરવાનું છે તેને પહેલું કરે છે. એટલે વ્યાસજીએ કળિયુગના મનુષ્યને મંદ બુદ્ધિવાળા કહ્યા છે.  વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા આપ સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી. તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. *શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે, દર્શન કરતાં તૃપ્તિ થતી નથી*. ભગવાનની મંગલમય અવતાર- કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલાકથા સાંભળવા માં એમને કદી તૃપ્તિ થતી નથી. કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોને શરણે જાય છે❓ પહેલા સ્કંધનો આ પહેલો અધ્યાય પ્રશ્નાધ્યાય છે.  સમુદ્રપાર કરવા વાળાને

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી

*🌹શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ગ્રંથોમાં પુષ્ટિમાર્ગીય ભક્તિમાર્ગની મૂળભૂત માન્યતાઓનો પરિચય આપ્યો છે.*🌹       🍁 *શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ છે. જે શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથો રહેલા છે. વૈષ્ણવો જ્યારે આ ચાર ધર્મોને સમજીને હૃદયમાં ધારણ કરી લે ત્યારે તે સંપૂર્ણ રીતે શ્રી વલ્લભનો વૈષ્ણવ બની જાય છે.*  🎍 *કૃષ્ણની સેવા એ જ ધર્મ છે આથી વૈષ્ણવ જીવોએ ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરવાં, ભગવાન શ્રી કૃષ્ણનાં ચરણોનું જ સદૈવ ચિંતન, મનન અને સ્મરણ કરવું. પ્રભુ અને ગુરુ ચરણો પ્રત્યેની દ્રઢ આસ્થા ભક્તોને વિશ્વાસ આપે છે કે પ્રભુ પોતાના જીવોની રક્ષા કરે જ છે. જીવોની પ્રભુ પ્રત્યેની દ્રઢ આસ્થા જ ભગવદ શાસ્ત્રોનું ગૂઢત્તમ રહસ્ય છે.*।  *શ્રી મહાપ્રભુજી કહ્યું છે કે વૈષ્ણવોએ લૌકિક ચિત્તવૃતિ અને અહંતા મમતાથી ભરેલા આ સંસારનો નિરોધ કરીને ભગવદ્ સેવા કરવામાં મન પરોવી દેવું જોઈએ. કારણ કે ચિત્ત નિરોધથી વધીને ન કોઈ મંત્ર છે, ન કોઈ તંત્ર છે, ન કોઈ મોટો સ્તોત્ર છે, કે ન કોઈ વિદ્યા અને ન કોઈ તીર્થસ્થળ છે.*  🎍 *શ્રી હરિરાય મહાપ્રભુજી વિશેષ સમજાવતાં કહે છે છે કે પુષ્ટિમાર્ગમાં સેવા અને ફલ બંને છે, તેથી કેવ

શ્રીયમુનાજી - અલૌકિક દાનના દાતા

🎹🏵️🌾🌹🌾🏵️🎹                      👏🏼🙇‍♂️👏🏼 *🙏આજનો સત્સંગ 🙏* 👇🏽👇🏽👇🏽 *🌹શ્રીયમુનાજી - અલૌકિક દાનના દાતા🌹* ➖➖➖➖➖ લેખકઃ- શ્રીગોવિંદભાઇ ભરડવા  (પુષ્ટિ ઝરણાં માંથી)      *ફકત 'યમુનાષ્ટક' ના પાઠ કરવાથી શ્રીયમુનાજી અલૌકિક દાન આપતા નથી, પણ શ્રીયમુનાજીનું દ્દઢ શરણ સ્વીકારીને રહીએ અને પછી શ્રધ્ધાપૂર્વક શ્રીયમુનાજીના સ્વરુપને ચિત્તમાં રાખીને *'જપ મર્યાદા, ધ્યાને પુષ્ટિ'* ની જેમ શ્રીયમુના સ્વરુપનું ધ્યાન ધરીને પાઠ કરીએ તો પુષ્ટિની રીત મુજબ શ્રીયમુનાજી પ્રસન્ન થાય છે અને અલૌકિક દાન આપે છે.      શ્રીયમુનાજીના દ્દઢ આશ્રય માટે તેટલાં દુઃખ આવે, વિકટ પરિસ્થિતિ આવે, ઉદ્દેગ થાય, શરીરનું અનુસંધાન ન રહે તો પણ અન્યાશ્રય ન કરીએ, બીજા કોઇ દેવ - દેવીઓના દોરા - ધાગા કે માનતા ન કરીએ, ફકત શ્રીયમુનાજીનો અનન્ય આશ્રય રાખીએ તે ખાસ જરુરી છે.      શ્રીયમુનાજી જેવો જગતમાં બીજો કોઇ દાતા મળશે નહીં. તેથી ગોવિંદ સ્વામી કહે છેઃ *'જમુનાજી સી નાહિ કોઉ ઔર દાતા, જોઇ ઇનકી શરન જાત હૈ દૌરિકેં, તાકિકોં તિહિ છિન, કરિ સનાથા.'*      શ્રીયમુનાજીએ જે અલૌકિક દાન કિશોરીબાઇને કરેલ, એવું જ દાન સર્વ પ

ભાગવત રહસ્ય

ભાગવત રહસ્ય-૧૯૩ જૈમિનીની વાત સાંભળી –વ્યાસજીએ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.ત્યાં તેમણે એક સુંદર યુવતીને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભનમાં પડ્યા. જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું –વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે. સ્ત્રીએ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેમ રખાય ? જૈમીનીએ કહ્યું-અરે મૂર્ખ,હું પૂર્વમીમાંસાનો આચાર્ય જૈમિનીઋષિ. મારો ભરોસો નહિ ? મારા જેવા તપસ્વી જ્ઞાનીનો ભરોસો નહિ કરો તો કોનો ભરોસો કરશો?અંદર આશ્રમમાં આવી વિરામ કરો. સુંદર સ્ત્રી અંદર આશ્રમમાં આવી અને જૈમિનીએ તેને બદલવા કપડા આપ્યાં. વાતોમાં જૈમિનીનું મન વધારે લલચાયું. તેમણે સ્ત્રીને પૂછ્યું કે-તમારાં લગ્ન થયેલાં છે? સ્ત્રીએ ના પાડી. એટલે જૈમિનીએ તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી. યુવતીએ કહ્યું-કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે-કે-જે કોઈ પુરુષ મારો ઘોડો બને અને તે પર હું સવાર થાઉં, અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરવાં લઇ જાય –તેની સાથે તે મને પરણાવશે. અને મા

DID YOU KNOW THIS

 DID YOU KNOW THIS 🕸🕸🕸🕸🕸🕸🕸 1. PAN - permanent account number. 2. PDF - portable document format. 3. SIM - Subscriber Identity Module. 4. ATM - Automated Teller machine. 5. IFSC - Indian Financial System Code. 6. FSSAI(Fssai) - Food Safety & Standards Authority of India. 7. Wi-Fi - Wireless fidelity. 8. GOOGLE - Global Organization Of Oriented Group Language Of Earth. 9. YAHOO - Yet Another Hierarchical Officious Oracle. 10. WINDOW - Wide Interactive Network Development for Office work Solution. 11. COMPUTER - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research. 12. VIRUS - Vital Information Resources Under Siege. 13. UMTS - Universal Mobile Telecommunicati ons System. 14. AMOLED - Active-matrix organic light-emitting diode. 15. OLED - Organic light-emitting diode. 16. IMEI - International Mobile Equipment Identity. 17. ESN - Electronic Serial Number. 18. UPS - Uninterruptible power supply. 19. HDMI - High-Definition Multimedia Inter