Skip to main content

સૂતક અને પાતક વિશેની આ ઉપયોગી માહિતી જુદા જુદા પુસ્તકોમાંથી અલગ તારવી છે

 ▪️ સૂતક અને પાતક વિશેની આ ઉપયોગી માહિતી જુદા જુદા પુસ્તકોમાંથી અલગ તારવી છે..


*********

▪️બાળકના જન્મ પછી દેવ પૂજાનો 

અધિકાર ન રહે એને સૂતક કહેવાય..

********** 

= બાળકના જન્મ પછી લાગતું સૂતક =

પેલી પેઢી સુધી - ૨૧ દિવસ 

બીજી પેઢી સુધી  - ૧૫ દિવસ 

ત્રીજી પેઢી સુધી - ૧૦ દિવસ 

ચોથી પેઢી સુધી - ૭ દિવસ 

પાંચમી પેઢી સુધી   ૫ દિવસ 

છટ્ઠી પેઢી પેઢી સુધી - ૩ દિવસ 

સાતમી પેઢી સુધી - ૧ દિવસ 


એક જ રસોડામાં બધાનું ભોજન બનતું હોય તો 

ત્યાં માત્ર પેલી પેઢી જ ગણાય છે.. 

ત્યાં ૨૧ દિવસનું સૂતક લાગે 


જન્મ આપનાર માતા-પિતાને ૪૫ દિવસ સૂતક લાગે 

*********

▪️સાસરે ગયેલી દીકરીનું તેના પિયરમાં લાગતું સૂતક..

*********

જો એ બાળકને પિયરમાં જન્મ આપે તો 

પિયરવાળાને ૩ દિવસ સૂતક લાગે 


અને જો એ દીકરી સાસરીએ જન્મ આપે તો 

પિયરમાં કોઈ સૂતક લાગતું નથી

*********

▪️ઘરે કામ કરતા નોકર - ચાકરનું સૂતક..

********

આપણાં ઘરે કામ કરતાં નોકર 

જો આપણાં ઘરે જ બાળકને જન્મ આપે તો 

આપણને ૧ દિવસનું સૂતક લાગે અને 

જો એના ઘરે જન્મ આપે તો 

આપણને કોઈ સૂતક લાગતું નથી

********* 

▪️ઘરે પાળેલા પશુઓનું સૂતક.. 

*********  

જો આપણાં આંગણમાં બચ્ચાને જન્મ આપે તો 

આપણને ૧ દિવસનું સૂતક લાગે 

અને જો આંગણ બહાર બચ્ચાને જન્મ આપે તો 

આપણને કોઈ સૂતક લાગતું નથી  


પશુને બચ્ચા આવે પછી... 

જો એ ગાય હોય તો એનું દૂધ ૧૫ દિવસ 

આપણે આહારમાં ન લઈ શકીએ.. 

જો એ ભેંસ હોય તો એનું દૂધ ૧૦ દિવસ 

આપણે આહારમાં ન લઈ શકીએ 

જો એ બકરી હોય તો એનું દૂધ ૮ દિવસ 

આપણે આહારમાં ન લઈ શકીએ


*********

▪️માણસના મૃત્યુ પછી ઘરના સભ્યો ને દેવપૂજા નો અધિકાર ન રહે એને પાતક કહેવાય..

*********


જે દિવસે અગ્નિ સંસ્કાર કર્યો હોય 

એ દિવસને પ્રથમ દિવસ ગણવો 


પેલી પેઢી સુધી - ૧૨ દિવસ 

બીજી પેઢી સુધી  - ૯ દિવસ 

ત્રીજી પેઢી સુધી - ૬ દિવસ 

ચોથી પેઢી સુધી - ૩ દિવસ 

પાંચમી પેઢી સુધી   ૧ દિવસ 

છટ્ઠી પેઢી પેઢી સુધી – ૧૨ કલાક 

સાતમી પેઢી સુધી – અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી  

એક જ રસોડામાં બધાનું ભોજન બનતું હોય તો 

ત્યાં માત્ર પેલી પેઢી જ ગણાય છે.. 

ત્યાં ૧૨ દિવસનું પાતક લાગે

********

▪️સાસરે ગયેલી દીકરી સાસરીમાં મૃત્યુ પામે તો આપણને ત્રણ દિવસનું પાતક લાગે.. 

********

જો ઘરનો કોઈ સભ્ય બહાર વિદેશમાં મૃત્યુ પામ્યો હોય 

અને સમાચાર મળે પછી જેટલા દિવસ બાકી હોય 

એટલા દિવસ પાતક લાગે – અને જો એ મૃત્યુના સમાચાર 

૧૨ દિવસ પછી મળે તો માત્ર સ્નાન કરવાથી પાતક મટે... 

*********

▪️ગર્ભપાત થયો હોય તો..

જેટલા મહિનાનો ગર્ભ હોય અને 

જો ગર્ભપાત થઈ ગયો હોય તો 

એટલા દિવસ પાતક પાળવું 


ઘરનો કોઈ વ્યકતી સાધુ કે સન્યાસી થઈ ગયા હોય તો

એ સન્યાસીને આપણાં ઘરનું કોઈ સૂતક કે પાતક લાગતું નથી

 

પણ જો એ બની ગયેલો સાધુ કે સન્યાસી મૃત્યુ પામે તો 

આપણને એક દિવસનું પાતક લાગે છે 

********

▪️પાતક વિશે થોડી વિશેષ..

********

કોઇની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ..

કોઈના મૃતદેહને સ્પર્શ કર્યો હોય.. 

અને નનામીને કાંધ આપી હોય... 

તો ૧ દિવસ પાતક લાગે 

ઘરમાં કોઈ સભ્ય આત્મહત્યા કરી લે તો... 

૬ મહિના પાતક લાગે

*********

▪️સૂતક અને. પાતક ના સમય દરમ્યાન શું શું ન કરવું..!


દેવ – શાસ્ત્ર – ગુરૂની પૂજા ન થઈ શકે 

દીવો અગરબત્તી ન થઈ શકે... 

મંદિરમાં જે પૂજાના સાધનો છે એને સ્પર્શ ન કરાય 

મંદિરની દાન પેટીમાં દાન ન નાખી શકાય 

********

▪️સૂતક અને પાતક ના સમય દરમ્યાન..

 

મંદિરની બહાર ઊભા રહી – ભાવ પૂજા કરી શકો

સ્તોત્ર બોલી શકો – કરમાળા કરી શકો – જાપ કરી શકો...


______

હર હર મહાદેવ 🙏🌺


હિન્દુ ધર્મ મહાન છે જય પરશુરામ જય હિન્દુત્વ 🚩

Comments

Popular posts from this blog

SBI ATM Card Application Form - State Bank of India

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્...

Merge multiple excel files into a single spreadsheet (MS Excel 2007)

Merge multiple excel files into a single spreadsheet (MS Excel 2007) Recently I’ve got something to work on with several excel files. More than 150 excel files generated by a web based application have to be merged into one file and then create a summary from it. Usually i did this by doing copy paste all values one at a time into a new empty spreadsheet, or copy to merge sheets to another excel files one by one. But yesterday my friend show me a simple way to combine or merge multiple excel files with macros inside Excel 2007 (edit macros with MS Visual Basic editor and no download required). Although I’m not familiar with office macros, but i can use it easily by just write a simple xls file merger code on vb editor, change the working folder path and cell starter reference name inside the code to suit your reference, and then click RunSub. All excel (xls or xlsx) files inside working folder will be merged into current worksheet. Watch it on YouTube For more detail, here’s what ...