Skip to main content

શરદ પૂનમ નું જૈન ધર્મ અનુસાર મહત્વ અને તેના ફાયદા

*🌕આસો સુદ ૧૫, શરદ પૂનમ 🌕* 
*20-10-2021, બુધવાર.*

*🌟 શરદ પૂનમનું જૈન ધર્મ અનુસાર મહત્વ અને તેના ફાયદા 🌟*

*🟨 આસો સુદ પૂનમથી શરદ ઋતુ શરૂ થાય છે. માટે જ આ પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે.*

🔸એક કહેવત છે કે 
*શતં જીવ શરદં*

*અર્થ: સો શરદ ઋતુ જીવો.*

*🟣સમગ્ર વર્ષની 6 ઋતુ હોય છે, તેમાં માત્ર શરદ ઋતુ નું નામ જ કેમ રાખ્યું.??*
*🟪કેમકે આ ઋતુ એટલે રોગ નું ઘર.*
*ચોમાસું હજુ માંડ પૂરું થયું હોય, ભાદરવા મહિનાની ગરમીનો આકરો તાપ ચાલુ હોય, શિયાળો શરૂ થવાની તૈયારી હોય,એટલેકે 3 ઋતુઓ ભેગી થાય.*
 *🟡ખાવા પીવામાં સહેજ આડું અવળું થાય અને માણસો માંદા થઈ જાય. માટે જ કીધું કે 100 શરદ ઋતુ સારા સ્વાસ્થ્ય સાથે જીવે તે સુખી માણસ કહેવાય.* 
*🟦આપણાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે આપણાં શાસ્ત્રકારોએ આ સંધિકાળમાં આયંબિલની ઓળી ને ધર્મના માધ્યમથી ગોઠવી છે.*
*⚡⚡તપથી શરીર સારું રહે અને જાપથી મન તંદુરસ્ત રહે.!!*
*💫💫કેવી અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે!!*

*🔵પરંતુ આપણે આ વારસાને વીસરી રહ્યા છીએ, પરિણામે શરીર અને મન બંને રીતે દુ:ખી થઈએ છીએ.*

*🔴શરદ પૂનમની રાત્રે ચંદ્ર અતિશય બળવાન હોય છે. તે પૃથ્વીની સહુથી નજીક આવે છે. તેનું તેજ ખૂબ હોય છે.* 

*♦️♦️જ્યોતિષ શાસ્ત્રની રીતે વિચારીએ તો ચંદ્ર એટલે મન. જેનો ચંદ્ર એટલે કે મન સારું તેનું બધું સારું.* 
*ટેકનોલોજીના યુગમાં બધાની બુદ્ધિ બગડે છે. કેમકે બુદ્ધિનો દુરુપયોગ વધી ગયો છે. તેથી જ માનસિક રોગો વધ્યા છે.*
*🔹મનની શાંતિ, સમાધિ, નિર્મળતા માટે આ રાત્રિ અતિ મહત્વની છે.* 

*🟥ચાલો જાણીએ કે આ રાત્રિ દરમિયાન શું કરવાથી કેવા ફાયદા થાય છે.*

*🟢જેમની કુંડળી માં ચંદ્ર નબળો છે, ખૂબ વિચારો આવતા હોય, ખૂબ ગુસ્સો આવતો હોય તેમણે*
 
*🔸ૐ હ્રીં નમો અરિહંતાણં🔸*

*🟩આ મંત્ર નો 1008 વાર કે તેથી વધારે જાપ કરવાથી ચંદ્ર અને મન બળવાન બને છે.*
 
*🟠 વિદ્યાની દેવી,જ્ઞાનની અધિષ્ઠાત્રી, સદ્બુદ્ધિ આપનારી ભગવતી શ્રી સરસ્વતી દેવીની આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે શરદ પુનમ*

*▶️શરદ પૂનમ ની રાત્રે જે કોઇપણ ખૂબ શ્રધ્ધાથી સરસ્વતી દેવીની આરાધના કરે છે તેમની ઉપર માં ભગવતીની કૃપા અવશ્ય વરસે છે.*

*▶️જો ભણવામાં તકલીફ રહેતી હોય,જ્ઞાન ચડતું ના હોય,યાદશક્તિ ઓછી હોય,બોલવામાં તકલીફ પડતી હોય વગેરે*
*▶️જેમને ખૂબ અભ્યાસ કરવો છે, જ્ઞાનની આરાધના કરીને કંઈક સુંદર પરિણામ મેળવવા હોય તો આ શરદ પૂનમ ની રાત્રે ચંદ્ર નો પ્રકાશ આપણી ઉપર આવે તે રીતે બેસીને અવશ્ય સરસ્વતી દેવીની આરાધના કરવી.*

*ૐ હ્રીં સરસ્વત્યૈ નમઃ* 
*અથવા* 
*ૐ હ્રીં નમો નાણસ્સ*
*અથવા*
*ૐ હ્રીં સરસ્વતી દેવ્યૈ નમઃ*
*અથવા* 
*ૐ ऐं નમઃ*

*🟧ઉપરના કોઇપણ મંત્રની ઓછામાં ઓછી 1 માળા અવશ્ય ગણવી.*
*1008 વાર એકાગ્રતાથી ગણવાથી સરસ્વતી દેવીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.*

*🟨 નમુત્થુણં સ્તોત્ર અથવા શક્ર્સ્તવ સ્તોત્ર 9 - 18 -27 - 36 - 108 વાર ( શક્તિ અનુસાર) ચંદ્ર ની ચાંદની મા બેસીને ભાવથી ગણવાથી મનશુદ્ધિ થાય છે.મનના ભાવોની નિર્મળતા વધે છે.શાંતિ,શાતા,સમાધિ મળે છે.*
*અશુભ કર્મોનો નાશ થાય છે.*

*▶️ શરદપૂનમની ચાંદની ઘણાંબધા રોગોમાંથી મુક્તિ મેળવવા માટે પણ ખૂબ ઉપયોગી છે.*
*🟣જો તમારા શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય, સ્કીન ને લગતા રોગો હોય, આંખો નબળી હોય, તો ચંદ્રનો પ્રકાશ શરીર પર આવતો હોય તેમ બેસવાથી કે સુઇ રહેવાથી ખૂબ ફાયદો થાય છે.*

*🟪પિત્તની તકલીફ રહેતી હોય તો* 
*ખડી સાકર ને,રાત્રે ચંદ્ર ઉદયથી બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી,*
*ચંદ્રની ચાંદની આવતી હોય તેવા ખુલ્લા ભાગમાં પાતળું સફેદ કાપડ ઢાંકીને મુકી રાખવી અને જ્યારે જરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.*
*આ સાકર ગરમીના સમયમાં વાપરવાથી અમૃત જેવું ફળ આપે છે.*

*▶️જો તમારી આંખો નબળી હોય તો શક્ય હોય તેટલા વધારે સમય સુધી એકીટશે ચન્દ્ર ની સામે જોવાથી આંખોની નબળાઈ થી રાહત થાય છે.*

*🟡આ રાત્રીએ કેળા ચંદ્ર પ્રકાશ માં રાખીને બીજા દિવસે સવારે વાપરવા થી શરીર ને ખૂબ પુષ્ટિ મળે છે.*
 
*🟦ટૂંકમાં જેમને પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું જોઈતું હોય તેમણે આ રાત્રિનો ખૂબ લાભ લેવો....*.


સુરેશ શાહ
9820363238
મુંબઈ

Comments

Popular posts from this blog

SBI ATM Card Application Form - State Bank of India

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્...

Merge multiple excel files into a single spreadsheet (MS Excel 2007)

Merge multiple excel files into a single spreadsheet (MS Excel 2007) Recently I’ve got something to work on with several excel files. More than 150 excel files generated by a web based application have to be merged into one file and then create a summary from it. Usually i did this by doing copy paste all values one at a time into a new empty spreadsheet, or copy to merge sheets to another excel files one by one. But yesterday my friend show me a simple way to combine or merge multiple excel files with macros inside Excel 2007 (edit macros with MS Visual Basic editor and no download required). Although I’m not familiar with office macros, but i can use it easily by just write a simple xls file merger code on vb editor, change the working folder path and cell starter reference name inside the code to suit your reference, and then click RunSub. All excel (xls or xlsx) files inside working folder will be merged into current worksheet. Watch it on YouTube For more detail, here’s what ...